ઉપનિષદ સિરીઝ · વિડિયો ૬૯
વિડિયો ૬૯
"ચૈતન્યં શાશ્વતં શાંતં, વ્યોમાતીતં નિરંજનમ્. બિંદુનાદકલાતીતં, તસ્મૈ શ્રી ગુરવે નમઃ."
હે પરબ્રહ્મ પરમાત્મા, માં જે આપ છો તે જ હું છું અને જે હું છું તે જ આપ છો. આપને, આપના પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપને નિરંતર વારંવાર નમસ્કાર કર્યા કરું છું. જય સચ્ચિદાનંદ.
ગઈકાલે સાંજે આપણે છાંદોગ્ય ઉપનિષદના અધ્યાય પાંચમાં, ખંડ દસના મંત્ર આઠમાં સુધી પહોંચ્યા હતા. હવે આ દસમા ખંડની અંદર આપણે આગળ અગ્નિવિદ્યાના પાંચ પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા હતા અને તેની અંદર સમષ્ટિમાંથી વ્યક્તિમાં જીવ રૂપે કેવી રીતે મનુષ્ય દેહ ધારણ થાય છે તેની વાત કરી હતી.
હવે આગળ અગ્નિવિદ્યા વિશે કહે છે કે જે આ પંચાગ્ની વિદ્યાને જાણીને વનમાં રહેતા શ્રદ્ધા અને તપપૂર્વક ઉપાસના કરે છે, એ બધા જ પ્રાણ પ્રયાણની ઉપરાંત અરચી, અરચી એટલે કે તેજ અથવા કિરણના અભિમાની દેવતાઓને પ્રાપ્ત કરે છે. હવે અભિમાની દેવતા એટલે અહીંયા આપણે અધિકારી સમજવાનું. અધિકારી દેવતા અભિમાની નથી, એ લોકો પણ એ લોકોએ એઝ્યુમ કર્યો છે પાવર એટલા માટે. કોના પાસેથી? પરબ્રહ્મ પરમાત્મા પાસેથી. કેવી રીતે કર્યો છે? તપ કરીને કર્યો છે, શ્રદ્ધાપૂર્વક તપપૂર્વક ઉપાસના કરીને એમણે એ પાવર પ્રાપ્ત કરેલો છે.
તો અરચીથી દિવસના અભિમાની દેવતાઓને, દિવસથી શુક્લ પક્ષના અભિમાની દેવતાઓને અને શુક્લ પક્ષથી ઉત્તરાયણ કે જેમાં સૂર્ય ઉત્તર માર્ગમાં ગમન કરે છે. ઉત્તર દિશા વિશે જેમાં આપણે વાત કરી કે જે પરબ્રહ્મ પરમાત્માની તરફ હોય તે તરફનું જે કંઈ કરવામાં આવે છે તેને ઉત્તર દિશા કહેવામાં આવે છે. તો તેના છ માસોને એ પ્રાપ્ત કરે છે. છ માસ એટલે ઉત્તરોત્તર વધતું જતું તેજ. અહીંયા એ ઉત્તરાયણના છ માસોના માધ્યમથી પછી એ સંવતસરને પ્રાપ્ત કરે છે અને આદિત્યને સંવતસરથી, ચંદ્રમાને આદિત્યથી અને વિદ્યુત દ્યોતિમાનને ચંદ્રમામાંથી પ્રાપ્ત કરે છે. ત્યાં એક અતિન્દ્રિય સામર્થ્યથી યુક્ત એવો જે પુરુષ છે એ એને પરબ્રહ્મને પ્રાપ્ત કરાવી દે છે. જો વચ્ચે એક માધ્યમ છે, અતિન્દ્રિય સામર્થ્યોથી યુક્ત એવો પુરુષ કે જે આપણને પરબ્રહ્મની સાથે મેળ કરાવી આપે છે.
તો આ જે રસ્તો છે એને દેવયાન માર્ગ કહેવામાં આવે છે.
એના પછી જે આ બધા ગૃહસ્થ લોકો ગામની અંદર રહેતા હોય, શહેરોમાં રહેતા હોય, ઈષ્ટપૂર્ત અને દત્ત એટલે કે અગ્નિહોત્ર, વૈદિક કર્મ, ઈષ્ટ કર્મ વગેરે કરતા હોય; કુવો, તળાવ, વાવડી, બગીચો વગેરે પૂર્તની અંતર્ગત વેદી વગેરેથી બહાર સત્પાત્ર વ્યક્તિઓને યથાશક્તિ દાન પુણ્ય કરતા હોય એને દત્ત કહેવાય. યથાશક્તિ અને કોને આપવાનું? તો કે સત્પાત્રને આપવાનું. તો એ દાન આપ્યું એ યોગ્ય કહેવાય છે. એવી ઉપાસના કરે છે તે લોકો ધૂમને પ્રાપ્ત કરે છે. ધૂમથી રાતને, રાતથી કૃષ્ણ પક્ષને, કૃષ્ણ પક્ષથી દક્ષિણાયનને જેમ સૂર્ય દક્ષિણ માર્ગથી ગમન કરે છે અને છ માસોને પ્રાપ્ત કરે છે. એ રીતે એ લોકો સંવતસરને પ્રાપ્ત કરી શકતા નથી. દક્ષિણાયનના મહિનાઓથી પિતૃલોકને પ્રાપ્ત થવાય છે. પિતૃલોકથી આકાશને, આકાશથી ચંદ્રમાને. આ ચંદ્રમા જ રાજા સોમ છે અને એ બધા દેવોનું અન્ન છે.
બધા દેવગણ તેનું ભક્ષણ કરે છે. કોનું? સોમનું ભક્ષણ કરે છે.
જ્યાં સુધી કર્મોનો ક્ષય થાય છે અર્થાત કર્મો નષ્ટ થાય છે ત્યાં સુધી ચંદ્રમંડળમાં નિવાસ કર્યા પછી એ આગળ કહેલા માર્ગથી ફરીથી પાછો આવી જાય છે. પણ એ પહેલા એ આકાશમાં આવે છે. આકાશમાંથી એ વાયુમાં આવે છે. વાયુમાંથી એ ધુમાડા રૂપ બને છે અને ધુમાડો થઈને પછી એ મેઘરૂપ બની જાય છે. એ મેઘરૂપ થયેલો પછી વૃષ્ટિ થાય છે ત્યારે વરસાદના મારફતે એ આ બધા પ્રાણીઓ આ લોકની અંદર જવ, ડાંગર, ઔષધિ, વનસ્પતિ, અડદ, તલ વગેરે બધું અનાજ અને ઔષધિઓ રૂપે પ્રાદુર્ભૂત થાય છે. આ રીતે એનું નિષ્ક્રમણ ચોક્કસ અત્યંત કષ્ટપ્રદ છે. એ અન્નને જે જે ખાય છે અને જે જે એનાથી ઉત્પન્ન વીર્યનું સેવન કરે છે, એ જીવ તદરૂપ એવો જ બનતો જાય છે.
એ બધા જીવોમાં જે શ્રેષ્ઠ સુંદર આચરણ વાળા હોય છે, આચરણ જો કેટલો મુખ્ય છે તે જોવાની વાત, તેઓ ઝડપથી ઉત્કૃષ્ટ યોનિઓને પ્રાપ્ત થવા માંડે છે અને એ બધા જીવ બ્રાહ્મણ, ક્ષત્રિય અથવા વૈશ્ય વગેરે શ્રેષ્ઠ યોનિને પ્રાપ્ત થાય છે. જે લોકો અસુર અથવા તો અપવિત્ર આચરણ વાળા હોય છે, તેઓ તો તત્કાલ, તત્ક્ષણ અસુર યોનિને પ્રાપ્ત થઈ જતા હોય. એમાં કઈ વાર લાગતી નથી. પણ બ્રાહ્મણ યોનિમાં કે ક્ષત્રિય યોનિમાં કે વૈશ્ય યોનિમાં આવવા માટે સારો એવો પુરુષાર્થની જરૂરત પડતી હોય છે.
એ પ્રાણી કે જે આનાથી પહેલા કહેવાયેલા કોઈપણ બીજા માર્ગથી ગમન કરતા નથી એ લોકો, એટલે જે ઉત્તરાયણથી પણ નથી જતા એવા લોકો, જે દક્ષિણાયન વાળા માર્ગથી પણ નથી જતા એવા લોકો માટે પાછો બીજો તો કે નિમ્નતર પ્રાણી, મચ્છર, કીડી, મકોડા વગેરે વારંવાર જન્મતા અને મરતા પ્રાણીઓ છે. એમાં જીવન ધારણ કરવું ને શરીર ત્યાગ કરવું એ જ એમનું મુખ્ય બાબત વારેવારે. એટલા માટે આ રીતની સાંસારિક ગતિમાં આસક્તિ રાખવી જોઈએ નહીં. મતલબ આચાર શુદ્ધિ હોવી જોઈએ એમ કહેવા માંગે છે. આ રીતે ઘોર સંસાર રૂપી મહાસાગરમાંથી પતનથી પોતાની રક્ષા કરવા માટે વ્યક્તિએ તૈયાર થવું જોઈએ અને એના માટે જ આ પંચાગ્ની વિદ્યાની પ્રાર્થના માટે આ શ્લોક આપવામાં આવ્યો છે.
સોનાનું હરણ કરનારા, મદ્યપાન કરનારા, ગુરુની સ્ત્રી સાથે ગમન કરનારા, બ્રહ્મવિદ્યા જાણનારની હત્યા કરનારા. હત્યા બે રીતે થાય: એક તો ફિઝિકલી પણ તમે મારો છો અને બીજી બીજા લોકોની સમક્ષ તેનો તેજોવધ કરો છો. તેજોવધ એટલે અપમાન કરો છો. તો એ પણ એક હત્યા સમાન જ ગણાય છે. એટલે આવું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું છે. તો આ ચાર પ્રકારના કૃત્યો. હવે સોનાનું હરણ કરવાનું શું? કોઈનું સોનું લઈ લેવું? સોનું એટલે સંપત્તિ.
સમજવાની અત્યારે કોકના શેર પોતાના નામે ચડાવી દેવા એ પણ એની એ જ બાબત છે. મદ્યપાન કરનારા, એટલે કોઈપણ પ્રકારના નશાકારક પદાર્થોનું સેવન કરનારા, ગુરુની સ્ત્રી સાથે ગમન કરનારા — પણ માનસિક વ્યભિચાર પણ ન હોવો જોઈએ એ અહીંયા આગળ મુખ્ય બાબત અભિપ્રેત છે. એવી રીતે બ્રહ્મવિદ્યા જાણનારાની હત્યા કરનારા; જે બ્રહ્મવિદ્યા જાણવા માટે પ્રયત્નશીલ હોય એવા લોકો પણ આવી ગયા અને જે ઓલરેડી તત્વવેત્તા બની ચૂકેલા હોય તેવા પણ લોકો આવી ગયા. એટલે આપણે ક્યારેય કોઈ સંત, ગુરુ, કોઈ મહત્ત્વ વિશે કોઈપણ પ્રકારે કોઈ નિંદા કે કટુ વચનો ન બોલાય એનું આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. એ કોઈપણ વ્યક્તિ કંઈ પણ આચરણ કરે છે, આપણે એને કહેવા યોગ્ય નથી એવું આપણે સમજવું છે.
અને વાસ્તવની અંદર તમે જુઓ તો પરબ્રહ્મ પરમાત્માએ આવીને કોને ક્યારે કશું કીધું છે કે, "તું આમ કરે છે કે કેમ કરે છે કે આવું ન કર"? એવું ક્યારેય એ કોઈને આડખેલી રૂપ પરમાત્મા પોતે સ્વયં નથી થતા, તો આપણે કોણ છીએ આ બધું કરનાર? કહેવાનો અર્થ એ છે કે આવી બધી જે કોઈ પ્રવૃત્તિઓ છે તે બધી શું છે? અહંકારવશ થાય છે, મોહને વશ થાય છે. એટલે કે આ અવિદ્યા છે અને એની અંદર આપણે ન પડી જઈએ તેનું આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. પડી ગયા તો પ્રાયશ્ચિત કરો, એમાંથી પાછા તરત જ બહાર નીકળો. પ્રાયશ્ચિત માનસિક રીતે પણ કરી શકાય છે અને બીજા કર્મો કરીને પણ કરી શકાય છે, જેની વિષદ છણાવટ બધી વેદોની અંદર અને ઉપનિષદની અંદર પણ ઘણી જગ્યાએ જોવા મળતી હોય છે.
આ પ્રકારે આ બધા મંત્રોમાં કહેવામાં આવેલી આ પંચાગ્નિ વિદ્યાના મહત્વને જે જાણવામાં સમર્થ છે. ખરેખર આ પાંચ ઇન્દ્રિયો જે છે ને જ્ઞાનેન્દ્રિયો, તેનો સંયમ કરો એટલે પંચાગ્નિ થઈ ગયો તમારો. એક બહુ મોટું તપ થઈ જાય છે. એટલે એ બધા લૌકિક કર્મો સાથે વ્યવહાર સંસર્ગ કરતાં કરતાં પણ પાપકૃત કાર્યોમાં લિપ્ત થતો નથી જે પોતે સ્વસ્થ રીતે આની અંદર સ્થિર થઈ ચૂકેલો છે અને પંચાગ્નિ વિદ્યાથી પોતાનો પ્રોસેસ ચાલુ રાખે છે શુદ્ધિકરણની પ્રક્રિયાનો. તે એટલે આ વિદ્યાને જે જાણે છે એ શ્રેષ્ઠ, શુદ્ધ અને પવિત્ર પુણ્ય લોકનો અધિકારી બને છે.
૧૧મા ખંડની અંદર કોણ કોણ માણસો આ વિદ્યા જાણતા હતા, શું હતા તેના વિશેની વાત કરે છે. ઉપમનનો પુત્ર હતો, પુલસનો પુત્ર હતો. આ બધા જે લોકો હતા તે લોકો આ બધી વિદ્યા તે કાળમાં જાણતા હતા. એટલે એ લોકો સદગૃહસ્થ હતા, શાસ્ત્ર અધ્યયન, સદાચારથી યુક્ત એવા હતા અને આપસમાં પરસ્પર બેસીને વિચાર વિમર્શ કરવા લાગ્યા કે, "અમારો આત્મા કોણ છે અને આ બ્રહ્મ શું છે?" વિચાર વિમર્શ કરતા છતાં પણ એ લોકો એવા કોઈ નિશ્ચિત નિર્ણય ઉપર ન પહોંચી શક્યા. ત્યારે એ પૂજ્ય લોકોએ પોતાનો એક ઉપદેશક નિયુક્ત કર્યો પાંચ જણાએ ભેગા થઈને કે, "આપણામાંથી એક જણને નક્કી કરો. આ સમયે અરુણનો પુત્ર ઉદ્દાલક આ વૈશ્વાનર આત્માને બહુ સારી રીતે જાણે છે. એટલા માટે આપણે બધા એની પાસે જઈએ." એવું વિચારીને બધા પછી આરુણી નામના ઋષિની પાસે આવ્યા.
હવે આ આરુણીએ, આ અરુણી એટલે કયો આરુણી ખબર છે? જેને ગુરુદેવે કહ્યું હતું કે, "તું ખેતરમાં પાણીની વાટ કરજે." તો એ આડો સુઈ ગયો હતો પાણી બહુ જ નીકળી જવા માંડ્યું ત્યારે. અને એવી સ્થિતિની અંદર પણ એને પાણી રોકીને ખેતરમાં પાણી ન ફરી વળે બંધનું એટલા માટે એને ખેતરના પાકની રક્ષા કરી હતી પોતે આડા સુઈ જઈને. બીજા ત્રીજા દિવસે જ્યારે આરુણી આવ્યો નથી એવું ખબર પડી એમના ગુરુને, ત્યારે બધા શોધતા શોધતા ત્યાં આવે ત્યારે ખેતરમાં એ બેસુદ્ધ થઈને પડેલો હતો. કારણ કે એટલા બધા પાણીમાં એટલો બધો લાંબો સમય સુધી રોકી રાખીને બેસી રહ્યો હતો. એટલે એને ત્યાં બેસુધી થઈ ગયેલી. ને પછી એને ત્યાંથી બધા લોકોએ આવીને પાળો બાંધી દીધો અને બધું કર્યું. અને પછી ગુરુદેવે એને જગાડ્યા. એટલે કે, "આટલી નિષ્ઠાપૂર્વક જે વ્યક્તિ સેવા કરે છે એ ચોક્કસ બ્રહ્મવિદ્યાનો અધિકારી છે." એટલા માટે પછી એને બ્રહ્મવિદ્યા, વૈશ્વાનર વિદ્યા, પંચાગ્નિ વિદ્યા બધી વિદ્યાઓનું એને એના ગુરુદેવે પછી એને શીખવાડી હતી.
એ આરુણી પાસે આ પાંચ જણા પહોંચ્યા. આરુણીએ આ મહાગૃહસ્થ અને પરમ શ્રોત્રીય લોકો હતા એ લોકોને જોયા અને નિશ્ચય કર્યો કે, "હું એમને પૂરેપૂરું સમાધાન આપી શકીશ નહીં." એવું એમને લાગ્યું. એટલે એમને કીધું કે, "ભાઈ, જો હું તમને ઉપદેશ આપી શકવા માટે લાયક નથી. એટલા માટે તમે બીજાની પાસે જાવ." એટલે એ જમાનાની અંદર જો કેવું હતું કે કોઈપણ માણસ પોતે જાણકાર હોવાનો દંભ નહોતા કરતા. જે હોય એ સાચે સાચું કહી દે કે, "ભાઈ, આ વસ્તુ હું તમને જાણું છું, હું તમને કહીશ પણ તમને સમાધાન નહીં થાય. માટે તમે આના પાસે જાવ." કરીને પોતાનાથી વધારે કુશળ હોય એવી વ્યક્તિ પાસે એ મોકલાવી દેતા હતા. એટલે એવી રીતે પોતાની ખામીઓ પોતાના પ્રશંસકોની વચ્ચે પણ સ્વીકારી લેતા હતા અને યોગ્ય પુરુષના સાનિધ્ય લાભનો પ્રયત્ન કર્યા કરતા હતા.
એટલે આરુણીએ કીધું કે, "પૂજ્યગણ, તમે બધા જ કૈકેયના પુત્ર જે છે એ કૈકેય કુમાર અશ્વપતિ પાસે જાવ. આ આત્મારૂપ વૈશ્વાનરને એ સંપૂર્ણપણે જાણે છે." એટલે આપણે બધા જ જઈએ. પાછું પોતે પણ તૈયાર થઈ ગયા કે, "વિદ્યા જ્યારે કોઈ કહેતું હોય તો પછી આપણે એને ગ્રહણ કરવા જવું જોઈએ." એટલે એમના સાથે એ પણ ગયા અને બધા અશ્વપતિ કૈકેય કુમાર પાસે પહોંચી ગયા. હવે રાજાએ બધાને ઉપસ્થિત થયેલા જોયા. એટલા બધા શ્રેષ્ઠ ઋષિઓ અને બધાનું એમણે અલગ અલગ સ્વાગત કર્યું. બધાને નમસ્કાર, વંદન વગેરે કર્યું. રાજા હતા છતાં પણ. બીજા દિવસે પ્રાતકાળ થતા રાજાએ કીધું કે, "મારા રાજ્યમાં કોઈ ચોર નથી. જો એ કાળ કેવો હશે કે નથી કોઈ મદ્યપાન કરનાર કે નથી કોઈ અનાહિતા કે ન કોઈ અલ્પજ્ઞાની."
કે ન કોઈ પરસ્ત્રી ગમન કરનાર, તો પછી કુલટા સ્ત્રી પણ અહીંયા કેવી રીતે હોઈ શકે? હે પૂજ્ય ઋષિઓ, હું સ્વયં યજ્ઞ કરનારો છું, તેથી આપને પ્રાર્થના છે કે અમારા અનુષ્ઠાન સુધી અહીં જ રહેવાની તમે કૃપા કરો. શાસ્ત્ર અનુસાર મેં એક એક ઋત્વિકને, એટલે જે યજ્ઞ કરાવનારો હોય તેને, જેટલું ધન આપવાનો સંકલ્પ કર્યો છે, એટલું ધન હું આપ સૌને પણ આપી શકીશ.
હવે આ ઋષિગણે અશ્વપતિ રાજાને કીધું કે, "જે વિશેષ કાર્ય હેતુ કોઈક વ્યક્તિ ક્યાંક પ્રસ્થાન કરે છે, તો ત્યાં એને પોતાના એ ઉદ્દેશને પૂર્ણ કરવું જોઈએ. એટલે આ વખતે તો આપ કૃપા કરીને આ વૈશ્વાનર આત્માના સંબંધમાં જ અમને કંઈક જણાવો."
ત્યારે ઋષિએ કીધું કે, "સારું, આવતી કાલે સવારે તમે બધા આવજો અને હું એ સંદર્ભમાં આગળ વાત કરીશ."
સવારે બધા ઋષિઓ હાથમાં સમિધા લઈને પહોંચી ગયા. સમિધા તો એક જેને કહેવાય કે પ્રતીક છે કે, "અમે અમારો અહંકાર ને અજ્ઞાન તમને અર્પણ કરીએ છીએ, તો એને બાળી આપો." એમ સંત ઋષિ પાસે જઈને આ કરવાની ત્યાં સિસ્ટમ હતી. એટલે એ બધાનું ઉપનયન કર્યા વિના જ બધાને સુપાત્ર સમજીને રાજાએ વૈશ્વાનર વિજ્ઞાનથી યુક્ત એ વિદ્યા પછી એમને ત્યાં સમજાવી.
અશ્વપતિ રાજાએ ઉપમન્યુને પૂછ્યું કે, "તમે કયા આત્માની ઉપાસના કરો છો? તમે કોને આત્મા સમજો છો?" એમ પ્રશ્ન થયો છે. ત્યારે જવાબ આપતા ઋષિકુમારે કહ્યું કે, "હે ભગવાન, હું દ્યુલોકની ઉપાસના કરું છું."
રાજાએ કહ્યું કે, "આપ જે આત્માની ઉપાસના કરો છો, એ અવશ્ય સુતેજા નામથી પ્રસિદ્ધ એવો શ્રેષ્ઠ તેજયુક્ત વૈશ્વાનર રૂપ આત્મા છે. એટલા માટે આપના કુળમાં સુત, પ્રસુત અને આસુત એવા પુત્રો તમારે ત્યાં દ્રષ્ટિગોચર થાય છે અને આપના પરિવારના લોકો બધા જ યજ્ઞનિષ્ઠ અને કર્મનિષ્ઠ છે."
આ ક્રમમાં બધાને આગળ પાછું પૂછ્યું એમને કે, "આપ અન્ન ખાવ છો અને પુત્ર પૌત્રાદિ અને પોતાના પ્રિયને જુઓ છો. જે કોઈ આ વૈશ્વાનર રૂપ આત્માની આ રીતે ઉપાસના કરે છે, એ અન્નનું ભક્ષણ અને પોતાના શ્રેષ્ઠ ઈષ્ટનું દર્શન કરતાં પોતાના કુળમાં બ્રહ્મતેજથી યુક્ત બને છે. અગર આપ મારી પાસે ન આવ્યા હોત તો આપનું મસ્તક પડી જાત."
એટલે કે પુત્રોની અંદર પણ તમારે તમારા કુળની અંદર જે કોઈ હોય તે બધાને પૂજ્યભાવથી જોવા જોઈએ કે આત્મા રૂપે જોવા જોઈએ. જો તમે એ નથી કરતા તો એ યોગ્ય નથી થતું એમ. એ રીતે એ સમજાવે છે કે વૈશ્વાનર જે આત્મા રૂપે રહેલો છે, એ અગ્નિરૂપ વૈશ્વાનર જ આ તમારે ત્યાં પુત્ર રૂપે અવતરેલા છે, એવી રીતે તમારે એ લોકોને જોવા જોઈએ.
એ પછી સત્યયજ્ઞને કીધું કે, "હે પ્રાચીન, આપ કયા આત્માની ઉપાસના કરો છો?" ત્યારે એને કીધું કે, "હું આદિત્યની ઉપાસના કરું છું."
રાજાએ કીધું કે, "ચોક્કસ એ વિશ્વરૂપ વૈશ્વાનર આત્મા છે." વૈશ્વાનરના જો કેટલા સ્વરૂપો બતાવે છે. "જેની અગર આપ સ્વયં ઉપાસના કરો છો, એટલા માટે આપણા વંશમાં પર્યાપ્ત માત્રામાં વિશ્વરૂપ સાધન દ્રષ્ટિગોચર થાય છે." એટલે કે તમે ખૂબ સમૃદ્ધ છો. "તમારી પાસે હારથી સુસજ્જિત દાસીઓ, જો દાસીઓ હારથી સુસજ્જ હોય તો રાણી કેવી હોય? એટલે કેટલી સમૃદ્ધિ હોય કે દાસીઓને પણ હાર પહેરાવી શકે અને ખચ્ચરોથી જોડાયેલા રથ પણ વિદ્યમાન છે. આપ અન્નનું ભક્ષણ અને પ્રિય ઈષ્ટનું દર્શન કરો છો. આપ શ્રેષ્ઠ વંશોમાં બ્રહ્મતેજનો નિવાસ રહે છે. પરંતુ એ આત્માના જ ચક્ષુ છે. આપ અગર મારી પાસે ના આવ્યા હોત તો અવશ્ય પોતાના બંને નેત્રોથી તમે રહિત થઈ ગયા હોત."
એટલે સમજણ વગર જો તમે જે કંઈ પણ કર્યા કરો તો એ આવી રીતે અનર્થ પણ સરજી શકે છે. સમજણ સાથે કરો છો તો તમને આવો લાભ અને ફળ પણ આપતું હોય.
એ પછી અશ્વપતિએ બીજા ઇન્દ્રધૂમને પૂછ્યું કે, "આપ કયા આત્માની ઉપાસના કરો છો?" એટલે જો દરેક માણસ કોઈકને કોઈકને આત્મા રૂપે ઉપાસના કરતો હતો તે જમાનામાં. આત્મા એટલે અત્યંત પ્રિય, સર્વોચ્ચ, શ્રેષ્ઠ, બસ એવી રીતના ઉપાસના કર્યા કરતો. એટલે કહે છે કે, "હું વાયુદેવની ઉપાસના કરું છું."
તો એને પણ કીધું કે, "તમે પણ શ્રેષ્ઠ આત્માની ઉપાસના કરો છો અને અલગ અલગ માર્ગવાળા, ઉગ્રહ વાળા આ જે કંઈ છે, આ વાયુઓ વાઈ રહ્યા છે, એ પણ વૈશ્વાનર આત્મા જ છે." એટલે હવે અહીંયા વાયુ પણ આત્મા છે. "એ કારણે આપની પાસે ભિન્ન ભિન્ન અન્નવસ્ત્ર વગેરે ઉપહાર આવે છે અને આપ અલગ અલગ રત્નની હારમાળા અને શ્રેણીઓ વાળા બની ચૂક્યા છો." એટલે આપ ઘણા સમૃદ્ધ થયા છો, એનું કારણ પણ આ જ છે કે તમે વાયુની આત્મા રૂપે ઉપાસના કરો છો.
પછી ઋષિકુમારને કીધું કે, "આપ અન્નનું ભક્ષણ અને પોતાના પ્રિય ઈષ્ટનું દર્શન કર્યા કરો છો. જે કોઈ ઉચિત રીતે આ વૈશ્વાનર આત્માની ઉપાસના કરે છે, એ પ્રિયનું દર્શન અને અન્નનું ભક્ષણ કરે છે અને એના કુળમાં બ્રહ્મતેજનો નિવાસ થતો હોય." એટલે જે કોઈ આપણને ઉપલબ્ધિ હોય તે બધાની સાથે આપણે આત્મીયતા, પ્રેમભાવ સાથે રહેવું એ આનો સંદર્ભ છે. એમ કહેતા કહ્યું કે, "જો અહીંયા તમે ના આવ્યા હોત ને કર્યું હોત એમનેમ તો તમારો પ્રાણ નીકળી જાત."
એ પછી અશ્વપતિ રાજાએ બીજા પુત્ર જે હતા જન નામના, તેને કીધું કે, "તમે કયા આત્માની ઉપાસના કરો છો?" ત્યારે એને કીધું કે, "હું આકાશ તત્વની ઉપાસના કરું છું." પહેલા એ વાયુની કરી, આમણે આકાશની કરી, પેલા આદિત્યની કરી, એ પહેલા જે હતા સૌથી પહેલા તેમને પોતાના સ્વજનોની કરી હતી વૈશ્વાનર રૂપે આત્મા. એનાથી કે, "ચોક્કસ તમને પણ આકાશ તત્વની ઉપાસના કરવાથી આ બધું પ્રાપ્ત થયું છે, સમૃદ્ધિ પ્રાપ્ત થયું છે, એ સારી વાત છે." અને કીધું કે, "આના કારણે તમારા કુળમાં પણ બ્રહ્મતેજનો નિવાસ થાય છે. આ આત્માનું ઉદર એ શરીરનો મધ્યભાગ જ છે. આપ અગર મારી પાસે ના આવ્યા હોત તો આપનો આ ભાગ નષ્ટ થઈ ગયો હોત." ત્યારબાદ ત્યાં જઈને
સ્પષ્ટતા કરવી એમ કે વિદ્વાન પાસે જઈને એ કેટલી જરૂરી છે એ અહીંયા બતાવે છે. ત્યારે બીજા બુડીલ રાજાને કીધું કે, "તમે કયા આત્માની ઉપાસના કરો છો?" ત્યારે એને કીધું કે, "હું જળ તત્વની ઉપાસના કરું છું અને આજે જળ તત્વ છે તેમાં રઈમાન વૈશ્વાનર આત્મા રહેલો છે. એના કારણે જ કે તમે રઈમાન અને પુષ્ટિમાન છો. આપનું અન્નનું ભક્ષણ અને પ્રિય ઈષ્ટનું દર્શન કરો છો એટલે આપ પણ આટલા સમૃદ્ધ છો અને આપણા કુટુંબમાં પણ બ્રહ્મતેજ રહેલું છે. પણ જો તમે અહીંયા આવીને મને ન કહ્યું હોત તો તમારું બસ્તી સ્થાન મૂત્રાશય ફાટી ગયું હોત."
ત્યાર પછી અશ્વપતિ રાજાએ અરુણના પુત્ર ઉદ્દાલકને પ્રશ્ન કર્યો કે, "હે ગૌતમ, આપે કયા આત્માની ઉપાસના કરી?" (ગૌતમ ઋષિનો અરુણ, અરુણનો ઉદ્દાલક અને ઉદ્દાલકનો શ્વેતકેતુ એવી રીતના આગળ ચાલે છે.) ત્યારે ઋષિકુમારે જવાબ આપ્યો કે, "હે રાજન, હું પૃથ્વી તત્વની ઉપાસના કરું છું." ત્યારે ફરી એ જ વાત કરી કે, "આપ પૃથ્વી તત્વની આત્મા રૂપે ઉપાસના કરો છો એટલા માટે જ આપને પ્રજા અને પશુઓની પણ પ્રાપ્તિ થઈ છે." એટલે કોઈપણ તત્વને પણ તમે આત્મા રૂપે આવી રીતે પૂજી શકો. પહેલા જળ તત્વ હતું, આકાશ હતું, આવી આવી રીતના પણ આત્મા રૂપે અને આત્મા એટલે એટલું અતિશય પ્રિય હોય એવી રીતે એની પૂજા કરે છે. ત્યારે કીધું કે, "આ આત્માના ચરણ છે અને એ રીતે તમે જો મારી પાસે ન આવ્યા હોત તો તમારા ચરણ પણ નિષ્ક્રિય બની ગયા હોત." એટલે આત્માની કેવી કેવી અલગ અલગ રીતે પૂજા કરવાની પદ્ધતિઓ છે તે અહીંયા આપણને જોવા મળે છે.
પછી આ બધા ઋષિકુમારોને ફાઇનલી એમને કીધું, "આ વૈશ્વાનર સ્વરૂપ આત્માને અલગ અલગ જાણતા અન્ન ખાવ છો. જે કોઈ મનુષ્ય આ 'હું છું' એ રીતે પોતાના અહમનો હેતુ થનાર આ પ્રાદેશ માત્ર એટલે દ્યુમ મૂર્ધાથી માંડીને પૃથ્વીપાદ પર્યંત અર્થાત વૈશ્વાનર આત્માની ઉપાસના કરે છે, એ બધા લોકોમાં, બધા પ્રાણીઓમાં અને બધા આત્માઓમાં અન્નનું ભક્ષણ કરે છે. એને કોઈ દિવસ અન્નની તકલીફ પડતી નથી." આ વૈશ્વાનર આત્મા જ મસ્તકનું દ્યુલોક છે, નેત્ર જ સૂર્ય છે, પ્રાણ જે છે તે વાયુ છે, શરીરની વચ્ચેનો ભાગ છે તે આકાશ છે અને બસ્તી મૂત્રાશય જળ છે, પૃથ્વી જ બે પગ છે, વક્ષ એ વેદી, રોમ કૂપે દર્ભ છે, હૃદય જ ગાહપત્ય અગ્નિ છે, મન એ દક્ષિણા અગ્નિ છે અને મોહ જે છે તે આહવની અગ્નિ છે કારણ કે તેની અંદર હવન થતો હોય છે. એટલે ઋષિપુત્ર વૈરાગટ વૈશ્વાનરના એક એક અંગની ઉપાસના કરતા હતા એમ કહેવાની વાત છે.
કોઈપણ એક અંગમાં રહેલા આત્માની ઉપાસનાથી આત્મતત્વની અનુભૂતિ તો કરી શકાય છે, પરંતુ એને છેવટે ત્યાં સીમિત ન રાખવું જોઈએ. એટલે તમે એમ કહો કે હું આ અંગની ઉપાસના કરું છું ને એટલો જ આત્મા છે, તો એવું નથી. ફક્ત બેઝિક ચક્રને જ હું એક્ટિવેટ કરી રાખું અને એને જ હું સતત ધ્યાન, ચિંતન બધું કરી, રમ, લંબ બધું બીજથી એને શુદ્ધ કર્યા કરું, એવું એક સમય સુધી હોય. અંતે પછી આત્મા કેવી છે? તો કે સમગ્રપણે વ્યાપેલો છે. એ દેહમાં વ્યાપેલો છે પહેલી વાત, પછી એ દેહની બહાર પણ વ્યાપેલો છે અને પછી કેટલો? તો કે અનંતા અનંત સુધી વ્યાપેલો છે. એવો જે છે એ આત્મા એમ એને જાણવું જોઈએ, એમ સમજવું જોઈએ. એક જગ્યાએ પણ કોન્સન્ટ્રેશન કર્યા કરવાથી તમને અલ્પલાભ મળશે, પણ જ્યાં એની વ્યાપકતાનો, અનંતતાનો જેવો તમે કરશો એટલે પરિપૂર્ણ થશે. આખી બાબત આવી રીતે સમજાવે છે.
હવે એ કહે છે કે જે રીતે પાકેલું અન્ન ભોજન માટે સૌ પહેલા આવે, એનાથી યજ્ઞ કરવો જોઈએ. પહેલાના જમાનામાં એવી એક સિસ્ટમ હતી કે ખેતરમાંથી અન્ન આવે, કોઈપણ અનાજ આવે એટલે સૌથી પહેલા બ્રાહ્મણ દેવતાને બોલાવવામાં આવે અને કહે કે, "તમે તમારી જરૂરિયાત મુજબનું લઈ જાવ." પહેલાના વખતમાં આ મને યાદ છે, મેં જોયેલું. મોટા કોઠારો હોય આટલા મોટા. એ બધા કોઠારોમાં ભરેલું અન્ન જે કાંઈ હોય એ પછી ભરવાનું. પહેલા તો એનો જે ઢગલો હોય તેમાંથી તમે ઉચકાય એટલું લઈ જાવ, તમારી જરૂરિયાત મુજબનું લઈ જાવ એવી રીતના કહેતા હતા તે વખતે. પછી ધીમે ધીમે સિસ્ટમ સીમિત થતી ગઈ. ઓછું ઓછું ઓછું કરતાં કરતાં છેવટે એક સિસ્ટમ એવી આવી કે તમે થાળીની અંદર સીધું સામાન ભરી દો કે એક વ્યક્તિ કે એક કુટુંબ જમી શકે એટલા કાચા પદાર્થો બધા તમારા આપવાના. એમાં લોટ પણ હોય અથવા તો ઘઉં હોય, ચોખા હોય, દાળ હોય, પછી ઘી હોય, તેલ હોય, મીઠું હોય, ગોળ હોય અને એ ઉપરાંત પેલા મસાલા તેજાના જે હોય તો લવિંગ, એલચી વગેરે એવું પણ મૂકેલું હોય અને તેલ, ઘી હોય સાથે સાથે અને પછી પાછા ઉપર દક્ષિણા આપે અને દીવું કરે અને આ બધી વસ્તુઓ તમને અર્પણ કરું છું, દત્ત હું તમને આપું છું એવી રીતના કરીને પછી બ્રહ્મ દેવતાને આપવામાં આવતું.
પિરયોડીકલી આ કરવામાં આવતું હતું એ વખતના કાળમાં.
હવે આ ધીમે ધીમે બધું નામશેષ થતું ગયું એટલે બ્રાહ્મણોને પછી આ બધું ન મળે એટલા માટે પછી એ લોકોને આજીવિકા અને ઉપજીવિકાઓ માટે થઈને સ્કૂલોમાં નોકરી કરવી પડી. એ લોકોને પછી પોતે કર્મકાંડ ને આ બધું જે કઈ એમનું નિયત કર્મ હતું એ છોડીને પછી બીજી બધી જાતની નોકરીઓ પણ કરવાનો વખત જે તે સમયને અનુરૂપ હતો એટલા માટે આવી ગયો. પણ આવી રીતના યજ્ઞ કરવો જોઈએ એમ એ કહેવામાં. તો એવા પણ લોકો મેં જોયા છે કે આજની તારીખમાં પણ પોતે બાર મહિનાનું અનાજ ભરે ને તો એમાંથી એક ભાગ કાઢી લે અમુક ભાગ અને પછી એ પહેલા ડોનેટ કરે અને પછી જ કે એનો ઉપયોગ ઘરમાં કરવાનો, આપણે ત્યાં સુધી નહીં કરવાનો. એવું કરનારા લોકો હજી આજે પણ મોજૂદ છે આ દેશની અંદર અને એ કારણસર આપણે ત્યાં કોઈ કે કે હું ભૂખ્યો છું એટલે તરત કોઈને કોઈ.
માણસ પણ એને જમાડી દેશે, એને છેવટે કહેશે કે, "ચાલ, આ પૈસા. મારાથી કશું બીજું થાય એવું નથી. તું ભલે જમી લેજે." એમ કરીને એને જમાડી દેતા હોય છે, કારણ કે કોઈકને અન્નનું દાન કરવું એટલે શું છે? એનો જીવ બચાવવા બરાબર છે. જો ભૂખ્યો માણસ હોય તો એનો પ્રાણનો ત્યાગ થઈ જાય. તો એને જમાડી દેવામાં આવે એટલે એનો પ્રાણ ટકી રહે. તો એ બહુ મોટું કામ કરેલું કહેવાય, ઘણું પુણ્યનું કામ કરી કહેવાય. એટલે એવી રીતના લોકો ત્યારે એકબીજાને પુષ્કળ જમાડતા હતા. આજના તારીખમાં એ જમાડતા જ હોય.
આ પ્રથમ આહુતિ જે હોય છે તે કોને આપવાની? તો કે છે કે, "પ્રાણાય સ્વાહા." પ્રાણને આપું છું. પાંચ કોળિયા જે હોય ને તેમાંથી આમ પહેલામાં પહેલો કોળિયો આપણે જાતે જે ગ્રહણ કરીએ તો મનમાં બોલવાનું, "ઓમ પ્રાણાય સ્વાહા." હું પ્રાણને આ અર્પણ કરું છું, એ એનો અર્થ થાય છે. અભિપ્રેત એ છે, એને પ્રાપ્ત કરીને પ્રાણ જે છે એ તમારો મુખ્યત્વે પુષ્ટ થશે. એ પુષ્ટ થયેલો જે મજબૂત થયેલો જે પ્રાણ છે, પ્રાણ જો મજબૂત થઈ ગયો તો પછી આરોગ્ય તો સહજ રીતે પ્રાપ્ત થશે.
એક વાત. બીજું, એના ફાયદા શું થશે કે આરોગ્ય પ્રાપ્ત થવાના કારણે તમે જે ચાહો તે, જેટલું ચાહો તેટલો પરિશ્રમ કરી શકશો. પરિશ્રમ કરીને તમે ધન પ્રાપ્તિ કરી શકશો સારા કામની અંદર સારો પરિશ્રમ કરીને અને એનાથી તમે તમારા કુટુંબનું પોષણ કરશો. આ કુટુંબીજનો જે તમને આપવામાં આવ્યા છે બધા, એ બધા જ પાછા વૈશ્વાનર રૂપે, આત્મા રૂપે તમને આપવામાં આવેલા છે. કોઈ એમનેમ નથી બધા આવી ગયેલા ફેમિલીની અંદર. એટલે એ પ્રિયજનો છે, સ્વજનો કહેવામાં આવે છે એ લોકોને. શું કહે છે? સ્વજનો કહેવા કે મારા સ્વજનો, બંધુઓ બધાને. તો એ બધાને આત્મા રૂપે જુએ છે. અભિપ્રેત એ હતું એ વખતે અને એટલે શું છે? ભાઈચારો અને કૌટુંબિકની ભાવના પણ ખૂબ સારી રીતે જળવાતી હતી. બધા એકબીજાનું જોઈ લેતા હતા, સમજી લેતા હતા. અત્યારે કેવો જમાનો થઈ ગયો? બધું ઇન્ડિવિજ્યુઅલ, એકાઈ.
બસ, એક એક એક, મારું શું? તો તે પરિસ્થિતિમાંથી પાછા ફરવું જ પડશે એક દિવસે, જો તમને એનો પૂરેપૂરો આત્મવિદ્યાનો લાભ જોઈતો હોય તો. કારણ કે છેવટે તો જે કાંઈ છે તે સર્વ આત્મા છે, ત્યાં સુધીને તમારે પહોંચવાનું છે. પણ તમે શરૂઆત તો તમારા પોતાનાથી કરશો, તમારા કુટુંબથી કરશો. જ્યાં સુધી એમાંથી કોઈપણ દુઃખ તકલીફમાં હશે, મુશ્કેલીમાં હશે, ત્યાં સુધી તમે સુખ અને ચેનથી આત્માની પ્રાપ્તિ માટેના પ્રયત્નો નહીં કરી શકો. કંઈક ન્યૂનતા રહી જતી હોય છે, કંઈક બાકી રહી જતું હોય છે. એટલા કહે છે કે ક્યારેય એવી રીતે ન કરવું. ઘણા લોકો એવું કરે છે કે હું આત્મપ્રાપ્ત કરવા જાઉં છું કરીને ઘરબાર છોડીને નીકળી જતા હોય અને ત્યાં આગળે સ્વજનો બધા જે હોય, દુઃખ તકલીફમાં હોય, બધા ક્લેશમાં કકળાટમાં હોય. તમને લાગે છે કે એ વ્યક્તિ આત્મા પ્રાપ્ત કરી લેશે?
કેટલાય જન્મો વીતી જાય તો પણ નહીં થાય. કારણ કે આ બાજુનું એને હજી આ શાંત કર્યું જ નથી. એટલે કૌટુંબિક શાંતિ પણ બહુ જ મુખ્ય અગત્યની બાબત. એટલે એને પણ આત્મારૂપે આપણે જોઈને આ બધાને શાંત.
તો એ રીતે પ્રાણને તૃપ્ત કરવાનો. કેવી રીતે? "ૐમ પ્રાણાય સ્વાહા." પ્રાણ તૃપ્ત થતાં શું થશે? ચક્ષુ તૃપ્ત થશે. પ્રાણ તૃપ્ત થશે એટલે શું થશે? ચક્ષુ તૃપ્ત થશે. ચક્ષુઓ તૃપ્ત થશે એટલે શું થશે? સૂર્ય જે છે તે તૃપ્ત થશે. તમે જો એક જગ્યાએ કરો છો પણ એની અસરો ક્યાં સુધીને પહોંચે છે તે તમે જુઓ. અને સૂર્ય તૃપ્ત થતા આખો દ્યુલોક એટલે સૂર્યનો પ્રકાશ જ્યાં સુધીને પહોંચે છે તે, એટલો ભાગ બધો દ્યુલોક કહેવાય. આજની તારીખમાં યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટો ત્યાં સુધીનો જે કંઈ ગ્રહ વિસ્તાર આપણે જોઈ રહ્યા છે કે ત્યાં સુધી તો જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ પહોંચે છે તેટલો વિસ્તાર આખો જેને કહેવાય એ દ્યુવલોક કહેવાય કે તેની અંદર સૂર્યનો દ્યુ એટલે કે તેજ પહોંચી રહેલો એ એટલો ભાગ જે છે તે બધો તૃપ્ત થાય છે. સૂક્ષ્મ રૂપે ભાવના છે ને? ભાવનાથી તો પેટ ભરાઈ જાય.
શું પેલા દુર્વાસાને નહોતો ભરી દીધું શ્રીકૃષ્ણ ભગવાને? કેવું આમ એક જ ખાલી આમ ભાજીનો એક ખાધું અને પેલા બધા પેટ પર હાથ ફેરવતા ફેરવતા આશીર્વાદ આપીને જતા રહ્યા બધા. કેવી આપત્તિ આવી ગઈ હતી પાંડવો ઉપર? કેવી રીતે બહાર કાઢ્યા જુઓ તમે. એટલે આવી રીતે બહાર નીકળી જવાય. દ્વલોક તૃપ્ત થતા જે કોઈની ઉપર દ્યુલોક અને આદિત્ય સ્વામીભાવથી પ્રતિષ્ઠિત છે એ બધા જ લોકો ત્યાં આગળે તૃપ્ત થઈ જાય છે અને એના તૃપ્ત થવાથી સ્વયં ભોજન કરનાર પ્રજા, પશુ, અન્ન વગેરે બધા જ શારીરિક કાંતિ અને બ્રહ્મ તે દ્વારા તૃપ્ત થઈ જાય છે. આ બધા તૃપ્ત થાય છે તો આને શારીરિક કાંતિ પ્રાપ્ત થાય છે અને બ્રહ્મતેજ પ્રાપ્ત થાય છે. એનામાં એટલું બ્રહ્મત્વ આમ અંશ અંશ અંશ વધતું જાય એમ દિવસે દિવસે.
એ પછી જે બીજી આહુતિ સમર્પિત કરવામાં આવે છે, બીજો કોલિયો, એ શું કહે છે? "ૐ વ્યાનાય સ્વાહા." વ્યાન વાયુ જે છે સમગ્ર શરીરમાં વ્યાપેલો છે. એટલે તેનું આ મંત્ર ઉચ્ચારણ કરીને કરવાથી વ્યાન વાયુની તૃપ્તિ થઈ જાય છે. એ થવાથી શું થાય? કરણેન્દ્રિય તૃપ્ત થાય. કરણેન્દ્રિય, તમારા કાન બહુ સરસ રહે, એકદમ કેટલે દૂર સુધીને બધું સાંભળી શકાય. આ બધું થાય. એટલે તમે જુઓ કે જે લોકોને સાંભળવામાં તકલીફો થતી હોય છે એ બધાને શું છે કે એમને વ્યાન વાયુની તકલીફ હોય છે. જે લોકોને આંખોની તકલીફ હોય, ચશ્મા પહેરવા પડતા હોય, કોઈ નાની મોટી બીજી બધી હોય, એ બધાનો પ્રાણવાયુમાં વિકાર ઉત્પન્ન થયેલો હોય છે. મુખ્ય વાયુમાં જ વિકાર આવી ગયો છે, ત્યાં સુધીને પહોંચી ગયું છે. એટલા માટે એ લોકોએ "ૐમ પ્રાણાય સ્વાહા" આહુતિ આપવી જ જોઈએ અને આવી રીતના અનુભવ કરવો જોઈએ કે એ લોકો આ બધા જ
આખા દ્વલોક જ્યાં જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચે છે, તે બધા જ તૃપ્ત થાઓ એ ભાવ સાથે એક કોળિયો ખાવાનો છે. એવી રીતે "વ્યાનાય સ્વાહા". તો એ કરવાથી વ્યાન તૃપ્ત થાય. વ્યાન તૃપ્ત થવાથી શું થશે? કરણેન્દ્રિય તૃપ્ત થશે. સ્ત્રોત્ર એ તૃપ્ત થવાથી ચંદ્રમા જે છે તે તૃપ્ત થઈ જશે. ચંદ્રમાના તૃપ્ત થવાથી દિશાઓ અને દિશાઓના તૃપ્ત થવાથી જે કોઈની ઉપર ચંદ્રમા અને દિશાઓ રહેલી છે, તે બધા જ તૃપ્ત થાય. ચંદ્રનું તેજ જ્યાં જ્યાં પહોંચે એટલો ભાગ અને આ બધી જ દિશાઓ, એ બધું જ જેટલા પણ ત્યાં આગળ છે, એ બધા તૃપ્ત થાઓ એ અભાવ અહીંયા આગળ અભિપ્રેત છે. એની તૃપ્તિ થયા બાદ ભોગતા, ભોજન કરનાર પ્રજા, પશુ, અન્ન વગેરે શું કરે છે? તો કે તેજ અને બ્રહ્મ તેજ પ્રાપ્ત કરીને પોતે સ્વયં તૃપ્ત થાય છે. પછી પોતે પણ થાય છે.
હવે ત્રીજી વાત: "પ્રાણાય સ્વાહા" પછી "વ્યાનાય સ્વાહા" પછી ત્રીજી વાત "અપાનાય સ્વાહા". અપાન વાયુ તૃપ્ત થતાં શું થશે? વાગીન્દ્રિય જે છે, વાંચા, એ તૃપ્તિ મેળવે છે. વાણી તૃપ્તિ થઈ જાય એટલે અગ્નિને તૃપ્તિ મળે છે. અગ્નિરૂપ છે ને વાણી, એટલા માટે. તો અગ્નિને તૃપ્તિ થાય છે. અગ્નિ તૃપ્ત થતાં પૃથ્વીને તૃપ્તિ થાય છે. પૃથ્વી તૃપ્ત થવાથી એની ઉપર જે કોઈ પૃથ્વી અને અગ્નિ રહેલો હશે, તે બધા તૃપ્ત થઈ જાય. ત્યારબાદ જે પ્રજા, પશુ, અન્ન, તેજ બધા બ્રહ્મ તેજ અને આ જે તેજ અને બ્રહ્મતેજ બંનેને પ્રાપ્ત.
હવે આગળ ચોથી વાત. ચોથી આહુતિ કોની છે? "ૐ સમાનાય સ્વાહા" એમ કરીને ચોથો કોળિયો આવી રીતના કરવો જોઈએ. તમે ચાહો તો બહાર પણ યજ્ઞ કરી શકો છો. તમે ચાહો તો ભોજન કરતી વખતે જ આનું આ પ્રક્રિયા તમે જાતે સ્વયં પ્રોસેસ કરી શકો છો. કારણ કે બ્રહ્મ તો અંદર મોજૂદ છે અને આ બધી જ ક્રિયા પ્રક્રિયા તમે બ્રહ્મની, પરબ્રહ્મની સાક્ષીએ કરી રહ્યા છો. સમજીને કરો તો ૧૦૦ ટકા ફળ મળે. તો આ "સમાનાય સ્વાહા" પણ આગળ "ૐ" લગાડવાનું. "ૐ સમાનાય સ્વાહા". સમાન વાયુ એ તૃપ્ત થાય છે. મનમાં પણ થાય. હા, તો આપણે હોટલમાં બેઠા હોઈએ ને ત્યાં આગળ અને પછી કરીએ તો નાટક જેવું લાગે ને કોકને? ઘરમાં કરીએ તો કોઈને ખ્યાલ ના આવે. ચોક્કસપણે આપણે આ બધું આંતરિક આપણે ઘણી વખત કરીએ છીએ. આપણે મંત્રોચ્ચાર કરીએ છીએ ને? "ૐ બ્રહ્માર્પણં બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્, બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મસમાધિના (ભગવદ્ ગીતા ૪.૨૪)" બધું આવી જાય એની અંદર.
એટલે આ બધું આવી રીતે હોય.
સમાનના તૃપ્ત થતાં જ શું થશે? તો કે મનને તૃપ્તિ થશે. આ સમાન મુદ્રા હોય છે, વ્યાન મુદ્રા પણ હોય છે, પ્રાણ મુદ્રા પણ હોય છે. આ પણ સાથે સાથે કરી શકાય છે. એટલે એ પણ એક સમય ક્યારેક આગળ શીખવાડીશું. તો સમાન વાયુ જે તૃપ્ત થશે, આ સમાન મુદ્રા છે. સમાન મુદ્રાની અંદર બંને હાથે આમ રાખીને બેસી શકાય છે. અમુક પાંચ મિનિટ, દસ મિનિટ એવો ટાઈમ સુધી. એ તૃપ્ત થતાં શું થશે? અથવા તો "સમાનાય સ્વાહા" તો મનને તૃપ્તિ મળશે. હવે મન તૃપ્ત થઈ જાય એટલે કેવું થાય? એક જ કોળિયામાં બોલો અને મન તૃપ્ત થતાં પર્જન્ય તૃપ્ત થાય છે. પર્જન્ય એટલે મેઘ વાયુ. પર્જન્ય તૃપ્ત થવાથી વિદ્યુતને તૃપ્તિ થાય છે. વિદ્યુત તૃપ્ત થવાથી એ જાતે પણ પોતે તૃપ્ત થઈ જાય. પોતે સમાન વાયુથી કે જેની ઉપર પર્જન્ય અને વિદ્યુત આશ્રિત છે, એવી તૃપ્તિ થયા પછી પ્રજા, પશુ, અન્ન બધા જ જે કંઈ હોય તે બધા તેજ અને બ્રહ્મ તેજ દ્વારા અને પછી તેનો ઉપભોગ કરનારા તૃપ્ત થઈ જાય.
તમે અહીંયા સમાન વાયુની આહુતિ આપી, તમારું મન તૃપ્ત થયું. તમારું મન તૃપ્ત થવાના સાથે સાથે જ મેઘ જે કહેવાય, આખા પૃથ્વી પર જે વરસતો હોય, જે બધા વાદળો જે અલગ અલગ ટાઈમે અલગ અલગ જગ્યાએ વરસાદ, આ લંડનને એ બધામાં તો રોજ વરસાદ પડતો હોય, તો એ તૃપ્ત થાય છે. મેઘ તૃપ્ત થવાથી વિદ્યુત તૃપ્ત થઈ. ઇલેક્ટ્રીસિટી. બાહ્ય જે કાંઈ છે, અંદરગ્રાઉન્ડ આત, એ બધી કેટલી જાતને કેટલી જગ્યાએ છે વિદ્યુત? ક્યાં નથી ખરેખર તો આમ જોવા જઈએ તો બધે જ છે. એટલે એ પણ તૃપ્ત થઈ જાય છે. એટલે મેઘ અને આ ઇલેક્ટ્રીસિટીના પ્રભાવમાં રહેનારા જે કોઈ છે, તે બધા જ તૃપ્ત થાય છે. એ બધાને શું થાય છે? તેજ પ્રાપ્ત થાય છે. એ બધાને આ નવી જાતનું ટુન હાર્ટ છે, સમજાય છે ને બધાને? આ બ્રહ્મ તેજ પ્રાપ્ત થાય છે, બ્રહ્મત્વ પ્રાપ્ત થાય. એનું તેજ એ લોકોનું થોડુંક વધે, રોજ થોડુંક વધે આમ એવી રીતે.
ત્યારબાદ પાંચમી આહુતિ આપવાની છે. હવે પાંચમી આહુતિની અંદર આપણે શું કરીએ છીએ? "ૐ ઉદાનાય સ્વાહા". ઉદાન વાયુ, ઉદાન વાયુ તૃપ્ત થવું જોઈએ. આવી રીતે યજન કાર્ય કરવાથી ઉદાન વાયુ તૃપ્ત થઈ જશે. એ તૃપ્ત થવાથી ત્વચા, ચામડી જે છે તે, એ ઇન્દ્રિય જે છે તે તૃપ્ત થશે. જોયું, એક એક ઇન્દ્રિયને તૃપ્ત કરવાની વાત છે. એ કરવાથી ત્વચાના તૃપ્ત થવાથી વાયુ તૃપ્ત થાય છે. વાયુના તૃપ્ત થવાથી આકાશ તૃપ્ત થાય છે અને આકાશ તૃપ્ત થવાથી એની ઉપર વાયુ અને આકાશ જે રહેલા છે, એ જેના પર પણ, જેની અંદર પણ, એ બધા જ તૃપ્ત થાય છે એકસાથે. એના તૃપ્ત થવાથી ભોગતા જાતે, ભોજન કરનાર સ્વયં પણ અન્ન, પ્રજા, પશુ આ બધા સાથે અન્ન અને તેજ અને બ્રહ્મતેજ પ્રાપ્ત કરીને એ પોતે પણ સમૃદ્ધ બને છે, તૃપ્ત બને છે. આ વૈશ્વાનર વિદ્યા છે એમ કહે છે. જે વૈશ્વાનર વિદ્યાની પહેલા રાજાએ વાત કરી હતી, હવે તમને આ સમજાવી દીધી.
જે કોઈ આ યજન કાર્ય કરે છે, બાહ્ય, બહાર કરે એ કોળિયા યાની અંદર અગ્નિ પ્રગટાવીને પણ આજ ક્રિયા કરી શકાય છે. પણ એ અત્યારે શક્ય નથી બનતું. આપણે ઘરમાં બેસીને ડાઈનિંગ ટેબલ ઉપર આવી રીતના કરી શકાય. એના દ્વારા કરવામાં આવેલ યજન કૃત્ય, કારણ કે ભાવથી ભવ છે. ભવ સુધરશે તમારા જો આ ક્રિયાને સમજીને સારી રીતે જો કરવામાં આવશે તો ચોક્કસ એના સારા પરિણામો તમે જોઈ શકશો. આપણે એક કામ કરીએ કે છ.
મહિના સુધી આપણે આ પ્રયોગ કરીએ. તો સૌથી પહેલામાં પહેલા શું? "ૐ પ્રાણાય સ્વાહા." પછી બીજું જે છે તે "ૐ વ્યાનાય સ્વાહા." ત્યાર પછી ત્રીજું છે "ૐ અપાનાય સ્વાહા." પછી ચોથું છે "ૐ સમાનાય સ્વાહા" અને પાંચમું છે "ૐ ઉદાનાય સ્વાહા." ભગવાનને પણ આ જ રીતે આપણે જમાડીએ છીએ. પૂજા કરીએ છીએ ત્યારે પણ આ જ પ્રોસેસ થઈ જાય છે.
જો આ કરીએ તો ભલેને આપણે કકડી સાકર મૂકી કે ગોળ મૂકી દીધો, પણ જો આ આખો પ્રોસેસ આવી રીતના કર્યો, એ તમારે પરફેક્ટ બહુ જ સુંદર વૈશ્વાનર યજ્ઞ થઈ જાય તમારો ત્યાંને ત્યાં. હવે માનો કે તમારી પાસે કશું જ નથી, પણ મન તો છે ને તમારી પાસે? તમે મનથી કરો કે હું આ બધાને ભોજન કરાવું છું અને પાંચે પાંચ વાયુને જેવું તમે તૃપ્ત કરશો, એટલે બધે જ બધું પહોંચી જશે અને બધું સુંદર થઈ જશે.
માનસિક રીતે મનમાં વિચાર કરો કે રાજભોગ અહીંયા આગળ આમ કરેલો છે અને પ્રભુ પરમાત્મા તો સ્વયં બેઠેલા જ છે અને હવે તમે એને જમાડી રહ્યા છો. "ૐ પ્રાણાય સ્વાહા, ૐ વ્યાનાય સ્વાહા, ૐ અપાનાય સ્વાહા, ૐ સમાનાય સ્વાહા, ૐ ઉદાનાય પ્રભુ તૃપ્ત થાવ." બસ, વિધિ પૂરી. બહુ જ સારું લાગશે માનસિક રીતે કરવાનું.
આવી રીતના જે આવી રીતના કરે છે, એ એવી રીતે થાય છે. આ વિદ્યાને સારી રીતે સમજે છે તે બધા જ યજન કાર્ય પૂર્ણ થતા પરિપૂર્ણ થઈ જાય છે. બધી જ રીતે થઈને આ સંદર્ભમાં એક ઉલ્લેખ એવો કર્યો છે કે જેમ સળીનો આગળનો ભાગ જે છે, એને અગ્નિમાં પ્રવેશ કરવાથી એ જ ખૂબ જ જલ્દી બળી જાય છે, એવી રીતે જે યજમાન આવી રીતે આવું સમર્થ બનીને પોતે યજ્ઞ કાર્ય કરે છે, તેના બધા જ પ્રકારના પાપ બળીને નષ્ટ થઈ જાય છે.
આ વિદ્યાનો જાણકાર અગર ભોજન કરતાં બચેલો ઉચ્છિષ્ટ પદાર્થ ચાંડાલને આપે તો એ કાર્ય આત્મારૂપ વૈશ્વાનરમાં યજ્ઞ કરવા સમાન છે. ઉચ્છિષ્ટ ભાગ પોતે ભોજન કરતાં થોડુંક વધ્યું છે, તો એ ભાગને તમારે કોઈકને આપવાનો છે. સાચું સારું એ છે કે એમાંથી અમુક ભાગ જે તમે ભોજન નથી કરી શકતા, પહેલેથી બાજુ પર મૂકી દો. તમને એમ લાગે છે કે આ વધારાનું છે, મારાથી ભોજન કરાયું નથી, પણ તમારા એ થાળીમાં લીધું છે. હજુ તમે એ નથી કર્યું. એક કોળિયો લીધો છે, બાકીનું બધું જ બાજુ પર કાઢી અને પછી કોઈકને આપી શકાય છે.
જે રીતે આ સંસારમાં ભૂખ્યું બાળક બધી રીતે માની પ્રતીક્ષા કર્યા કરતું હોય, બરાબર એ જ પ્રમાણે સંસારનો સમસ્ત પ્રાણી સમુદાય આવા જ્ઞાનીના હવ્યરૂપ યજન કૃત્યની અપેક્ષા કરતો હોય છે, ઉપાસના કરતો હોય છે કે રાહ જોતો હોય છે કે આજે હમણાં જો એમ કે અમિતભાઈ હમણાં વૈશ્વાનર યજ્ઞ કરશે ને આપણે તૃપ્ત થઈ જઈશું. આવી રીતના પ્રતીક્ષા જેમ ભૂખ્યું બાળક માની રાહ જોતો હોય એમ લોકો રાહ જુએ છે, એવું સમજીને કરજો.
હવે આગળ કહે છે કે અગ્નિહોત્રના યથાર્થ રૂપની જાણકારી રાખનાર વિશેષજ્ઞના કાર્યથી સમસ્ત પ્રાણી સમુદાય તૃપ્ત થઈ જાય છે. પરંતુ એવી સંભાવના ત્યારે થાય કે જ્યારે સમસ્ત પ્રાણીઓમાં એક જ આત્માનું આધિપત્ય રહેલું હોય. એની વાત અહીંયા આગળ કરવાની. તો અરુણના પૌત્ર શ્વેતકેતુને પિતા ઉદ્દાલકે બ્રહ્મચર્યના મહત્વને પ્રતિપાદિત કર્યું અને એને કીધું કે બ્રહ્મચર્ય આશ્રમમાં પ્રવેશની અનુમતિ પ્રદાન કરી અને એને સંબોધન કરતાં કીધું કે "અમારા વંશમાં જન્મ લેનારું કોઈપણ બાળક બ્રહ્મવિદ્યાના અધ્યયન વિના બ્રહ્મબંધુ બનતું નથી."
બ્રહ્મબંધુ એને કહેવાય કે જે બ્રાહ્મણો જેવું આચરણ કરી શકતો નથી, પરંતુ એનાથી સંબંધિત હોય છે. ઋષિના કહેવાનો ભાવ એવો છે કે એમના કુળમાં બધા જ આચરણ નિષ્ઠ બ્રહ્મજ્ઞાની જ હોય છે, બધા બ્રહ્મજ્ઞાનીઓ જ હોય છે એમ કહે. પણ જેને બ્રહ્મજ્ઞાન થયો નથી એવો વ્યક્તિ જો એનો સંબંધિત હોય તો એ બ્રહ્મબંધુ કહેવાય છે. આજની તારીખમાં દરેક માણસો શું કહે છે કે અમે બ્રાહ્મણ છીએ, પણ જે બ્રહ્મને જાણતો હોય એ બ્રાહ્મણ છે. હવે જે બ્રાહ્મણ બ્રહ્મને નથી જાણતો આવી રીતે, એ બધા કોણ કહેવાય? તો કે બ્રહ્મબંધુઓ છે, એ લોકો બ્રહ્મના બંધુઓ છે એમ કહેવાય છે.
આવી રીતે પોતાના પિતા દ્વારા ઉપદેશ અપાતા શ્વેતકેતુએ માત્ર ૧૨ વર્ષની ઉંમરમાં પોતાના આચાર્યના સાનિધ્યમાં રહીને ૨૪ વર્ષ સુધી વેદોનું અધ્યયન અનુશીલન કર્યું. ૧૨ વર્ષે ગયો તો ૨૪ વર્ષ કર્યું, ૩૬ વર્ષ સુધી એને આજ કામ કરી રાખ્યું એની ઉંમર થઈ ત્યાં સુધી. ત્યારબાદ પોતાના અધ્યયનરત એવા વિદ્વાન પિતાનો અનુભવ કરતાં કરતાં સ્વાભિમાન સાથે પિતાની સમક્ષ ઉપસ્થિત થયો અને પછી પૂછ્યું. એટલે પિતાએ વિપરીત સ્વભાવવાળા ઉદ્દંડ શ્વેતકેતુને જોયો એટલે એને કીધું કે "શું તે પોતાના આચાર્ય પાસેથી પરબ્રહ્મનો ઉપદેશ મેળવી લીધો?"
ત્યારે શ્વેતકેતુના પિતા ઉદ્દાલકે એને ફરી વખત કીધું કે "તે જેના દ્વારા અશ્રુત એટલે ન સાંભળેલું શ્રુત થઈ જાય છે, ન સાંભળેલું સાંભળે બરાબર થઈ જાય છે, તર્ક ન કરનારો તર્કની વિદ્યામાં પારંગત બની જાય છે, અવિજ્ઞાત એટલે રહસ્યથી યુક્ત બાબતો છે તે વિશેષ રૂપથી એને જ્ઞાત થઈ જાય છે, શું આ બધા ઉપદેશ તારા આચાર્ય તને પ્રદાન કર્યા છે?" એટલે એ સાંભળીને શ્વેતકેતુએ કીધું, "ભગવાન, આ ઉપદેશ કેવા છે?"
ત્યારે કીધું કે "જેમ એક માટીના પિંડમાંથી બધા જ માટીના પદાર્થોનો બોધ થઈ જાય છે કે આ બધું માટી જ છે. ખરેખર તો વિભિન્ન પ્રકારના નામ તો માત્ર વાણીનો વિકાર છે. આને ઘડો કહેવાય, કોડી કહેવાય, આ કહેવાય, અલગ અલગ બધું, પણ એ જે છે તે વાણીનો વિકાર જ છે. વાસ્તવની અંદર શું છે? તો કે એ માટી જ છે. સત્યતા એક માટી જ છે. તો હે સૌમ્ય, જેમ સોનાના એક પિંડ દ્વારા, એક ટુકડો હોય સોનાનો, તેનાથી તે જમાનામાં તો આવી રીતના લઈને લોકો ફરતા હતા, એટલા સમૃદ્ધ હતા, સોનાનો પિંડ લઈને તો બીજા અન્ય"
સુવર્ણના પદાર્થોનું વિશેષ જ્ઞાન મળી જાય છે કે આ એમાંથી જ બનેલું છે અને આ બધું સોનું જ છે. તો જો, સ્ત્રીઓની દ્રષ્ટિ હંમેશા શેના પર હશે? આકાર પર હશે, નામ-રૂપ ઉપર, આકાર ઉપર વધારે હોય છે. જ્યારે પુરુષની દ્રષ્ટિએ શું હશે? મોટા ભાગે આ બધું સોનું છે, મોર ઓર લેસ. આ એક બાબત તમે જોશો આગળ ઉપર.
સ્ત્રીઓ હશે ને, એ તો એને ઘાટ, ઘડામણ, દાગીના, કેટલી ડિઝાઇન, શું – આ એટલું બધું ઊંડું ઉતરે કે ના પૂછવાની વાત! એટલા માટે એવી જે વૃત્તિ હોય છે એમની, એના કારણે એમને સોનાનો મોહ ઉત્પન્ન થતો હોય છે. પુરુષને એ સોનાનો મોહ અલ્પ પ્રમાણમાં હોય. અમુક એવા માણસો પણ હશે, આપણે એવું નથી કહેતા, પણ એમનામાં એટલું પુરુષત્વ પણ ઓછું જ હોય, સ્ત્રીત્વ જ વધારે હોય એ લોકોને. કારણ કે આ તો અર્ધનારીશ્વર છે આમે તો.
એવા પ્રકારે કહે છે કે, "આ તો બધો વાણીનો જ વિકાર છે, નામ-રૂપ, આકાર બધું." જે રીતે એક નખ કાપનારની જે લોખંડની નરાણી હોય (નખ કાપવાનું સાધન આવતું હતું પહેલા), તો આવી રીતના આમ કરીને આમ કાપી નાખે. એના જ્ઞાનથી બધા જ લોખંડના પદાર્થોના વિશે આપણે જાણી શકીએ છીએ કે આ લોખંડ છે. અને અડ્યા, આપણે જોયું, આપણને ખબર પડી કે આ લોખંડ છે. પછી જેટલા લોખંડના પદાર્થો હોય, આપણે જાણી શકીએ, "આ બધું લોખંડ જ છે." એમ એવી રીતે સત્યતા ફક્ત લોખંડની છે.
તો કહે છે કે, "આવું કંઈ મને જાણમાં નથી અને ગુરુદેવે મને આવું બધું નથી કીધું. અને જો એમને મને નથી કીધું, તો શા માટે નહીં કીધું હોય? એટલે આપ જ એનો ઉપદેશ કરો." ત્યારે શ્વેતકેતુને પછી બેસાડીને જ્ઞાન આપે છે. એ હવે અહીં આગળના ખંડમાં આવે છે.
ત્યારે કહે છે કે, "પ્રારંભમાં એકમાત્ર અદ્વિતીય સત જ હતું." કેટલાક લોકો એમ કહે છે કે, "પ્રારંભમાં માત્ર અદ્વિતીય અસત જ હતું. એ અસતથી સતની ઉત્પત્તિ થઈ." બંને પદ્ધતિઓ સાચી છે. કોઈ જાણતું નથી કયું પહેલા ઉત્પન્ન થયું હતું, પણ એક આ શરૂઆત કરવા માટેની પદ્ધતિ છે. આપણે એમ સમજવાનું કે કંઈક હતું અને એમાંથી પછી આ બધું ઉત્પન્ન થયું છે.
ત્યારે ઉદ્દાલકે કીધું કે, "હે સૌમ્ય, એવું કેવી રીતે બને કે અસતમાંથી સતની ઉત્પત્તિ થાય? વાસ્તવમાં, પ્રારંભિક અવસ્થામાં આ એક અદ્વિતીય સત જ હતું. આ વાત સાચી છે." એટલે કે, "સતમાંથી પછી અસત ઉત્પન્ન થયું છે," એમ એને કીધું.
પછી આગળ એના પિતાએ કીધું કે, "એ સત્તે સંકલ્પ કર્યો. જે હતું, તેને સંકલ્પ કર્યો કે હું વિભિન્ન રૂપમાં ઉત્પન્ન થાઉં." આવી રીતે ઈચ્છા કરતાં જ એનાથી સતમાંથી તેજની ઉત્પત્તિ થઈ. ત્યારબાદ એ તેજે સંકલ્પ કર્યો કે, "હું પણ ઘણું બની જાઉં." એટલો સંકલ્પ લેતા જ આ તેજે પછી 'અપ' નામના તત્વની રચના કરી.
તેથી જ્યારે જ્યારે પણ કોઈને સંતાપ થાય છે ને, ત્યારે એને પરસેવો વળી જાય છે, તેજ પેદા થાય છે, ઘણું બધું થઈ જાય છે. એટલા માટે એ સમયે તેજમાંથી પછી શું થયું? તો કે જળની ઉત્પત્તિ થઈ. જેમ અહીં પરસેવો બને છે એ રીતે. ત્યારે તે વખતે તેજમાંથી જળ બને એ પછી આપો.
એ જળે એ પોતાની ઈચ્છા કરી કે, "હું પણ ઘણું બધું બની જાઉં." બધાને બધું બહુ જ બનવું જ હોય છે બધાયને! એટલે જળે પૃથ્વીરૂપી અન્નની રચના કરી. જળે પૃથ્વીની રચના કરી. એને કારણે જ્યાં પણ વરસાદ પડે છે, ત્યાં પુષ્કળ અન્ન પેદા થઈ જતું હોય. તેથી વિભિન્ન પ્રકારના અન્ન અને જળથી જ અન્ન-જળથી જ ઉત્પન્ન થતા હોય છે.
ઋષિ પહેલા સ્પષ્ટ કરી ચૂક્યા છે કે સૃષ્ટિ સર્જન ક્રમમાં સૌથી પહેલી આહુતિ દ્યુલોકમાં અપાઈ હતી, જ્યાં સૂર્યનો પ્રકાશ છે. એટલા માટે થઈને આપણે આપી હતી, "ૐમ પ્રાણાય સ્વાહા." "ઓમ દ્યુલોકની આહુતિ આપું છું," એમ. આ સત હતું એ તેજ બન્યું, એટલે દ્યુલોકને તેજસનું લોક કહેવામાં આવે છે.
આ સૃજન સંકલ્પયુક્ત તેજસને જ વેદે હિરણ્યગર્ભ કહેલો છે. એટલો જે વિસ્તાર છે, તેને હિરણ્યગર્ભ કહેવામાં આવે. સંકલ્પપૂર્વક એ તેજસના વિભાજનથી અપતત્વ (એકમાંથી પછી બીજું 'અપ' નામનું તત્વ) પેદા થયું. એને વેદે સૃષ્ટિનો મૂળ ક્રિયાશીલ પ્રવાહ માનેલો છે. તેજ તો સ્થિર હતું, પણ પછી અપ જ્યારે બન્યું એટલે એની અંદર પછી પ્રવાહ પેદા થયો, વાયુ તત્વ આવવાના કારણે. અને પછી એવી રીતના એ ક્રિયાશીલ બન્યું, જેને દ્યુલોકનું જળ પણ કહી શકાય.
દ્યુલોકનું જળ કયું છે? 'અપ' નામનું જે તત્વ છે. તમે આમ પ્લેનમાં ઉપર ઉઠો છો ને, આમ કરીને આમ જે દેખાય છે, બધું પાણી જ પાણી છે! એ બોલો, ઉપર પાણી છે, નીચે પૃથ્વી છે ને, પછી એવું દેખાય છે.
સંકલ્પપૂર્વક એ તેજસના વિભાજનથી અપતત્વ થયું. હવે દ્યુલોકનું જે જળ છે, તેમાં પાછા સંકલ્પ થયો એટલે અતિ સૂક્ષ્મ પદાર્થ કણ (એટલે કે સબ-એટોમિક પાર્ટીકલ્સ) બન્યા બધા એમાંથી, અપતત્વમાંથી. અને જેને દ્યુલોકનું પૃથ્વી તત્વ કહી શકીએ છીએ આપણે.
બીજા ચરણમાં તેજસ સૂર્ય આદિના રૂપમાં વ્યક્ત થયું. અને એ તેજસના અપતત્વમાં સંઘાતથી અંતરિક્ષમાં પરમાણુ કણો અને જળની ઉત્પત્તિ થઈ. એ જળ અને સૂક્ષ્મ કણના સંયોગથી સ્થૂળ કણોના રૂપમાં પૃથ્વી તત્વ બન્યું. જો, સ્થૂળમાંથી સૂક્ષ્મમાંથી સ્થૂળ બનવાની પ્રોસેસ અહીંયા આગળ આવી, તો પૃથ્વી તત્વ બન્યું.
આ ઋષિ બંને ચરણની પ્રક્રિયાને જુએ છે. એટલા માટે એમના કથનમાં તેજ, અપ, પૃથ્વી વગેરેના સ્થૂળ, સૂક્ષ્મ, દ્રશ્ય, અદ્રશ્ય બંને વસ્તુઓ મળેલી છે અને બંને એકઠા છે એમ એ જુએ છે એમની દ્રષ્ટિથી. એટલે એમને એ બાબતની બહુ જ સ્પષ્ટતા હતી. ત્યારે એમને આગળ વાત કરી.
હવે ઉદ્દાલકને આગળ કહે છે સૃષ્ટિ ક્રમમાં કે, "આ ખ્યાતિ પ્રાપ્ત પ્રાણીઓના ત્રણ જ બીજ છે." એટલે કે અંડજ, જયા, જરાયુજ અને ઉદ્ભેજ હોય. પછી એ સતરૂપી દેવતાએ, જે પોતે મૂળ બ્રહ્મ જે આમાં એની અંદર આવી ગયો છે, પોતાની પ્રચંડ ઈચ્છાશક્તિના માધ્યમથી સંકલ્પ કર્યો કે, "હું જીવાત્મા રૂપથી આ ત્રણેય તેજ, અપ અને પૃથ્વીના દેવતાઓમાં પ્રવેશી અને નામ અને એના રૂપને..."
હું ધારણ કરું એટલે પછી એ ત્રણ દેવતાઓએ એને આવી રીતના ત્રણ-ત્રણ ભાગમાં પાછા વિભાજિત કર્યા. એ દેવતાઓને જીવાત્મ રૂપથી ત્રણેય દેવોમાં પ્રવેશ કરીને એમના નામરૂપને એમણે સ્પષ્ટ કર્યા. ત્યારે દેવતાઓને કીધું, "થઈ ગયા પછીથી કીધું કે હે પુત્ર, જે રીતે ત્રણેય દેવતા એક-એક કરીને ત્રિવૃત્ત એટલે કારણ, સૂક્ષ્મ અને સ્થૂળ એમ ત્રણ સ્વરૂપો બન્યા દરેકના, પૃથ્વીના પણ, તેજના પણ, એવી રીતના ત્રણ-ત્રણ ભાગ એને કરી નાખ્યા."
એટલે કે કેવી રીતે કર્યા એ હું જાણું છું. ત્રણ પ્રકારે અલગ અલગ કરવામાં આવેલો અગ્નિનો રોહિત એટલે કે લાલ વર્ણ છે. અગ્નિ કારણ અગ્નિ છે, પછી સૂક્ષ્મ અગ્નિ છે અને પછી સ્થૂળ અગ્નિ છે. એવી જ રીતે કારણ જળ છે, પછી સૂક્ષ્મ જળ છે અને સ્થૂળ જળ છે જે આપણે પીએ છીએ. એવી જ રીતે કારણ પૃથ્વી, પછી સૂક્ષ્મ પૃથ્વી અને પછી સ્થૂળ પૃથ્વી થઈ. આવી રીતના એ પ્રોસેસની અંદર આવ્યું. એટલે સત્ય તો માત્ર આ ત્રણ રૂપ જ છે. એટલે અગ્નિ શબ્દ તો વિકારવાણિદી કહેવા માટે નામ માત્ર છે. એ અગ્નિત્વ છે ખરેખર તો એમ કે જે સૂક્ષ્મ કારણમાં જે રહેલું છે તે પ્રકાશનું રૂપ છે. જે શુક્લ વર્ણ છે, સફેદ કલર, એ જળ તત્વનું રૂપ છે અને જે કૃષ્ણ વર્ણ છે તે અન્ન એટલે કે પૃથ્વીનું રૂપ છે. તેથી આદિત્યથી આદિત્યત્વ અલગ થઈ ગયું કારણ કે આદિત્ય રૂપ વિકારવાણી પર આશ્રિત નામ માત્ર છે.
માત્ર ત્રણ રૂપ જ સત્ય સ્વરૂપ છે.
ચંદ્રની અંદર જે રોહિત વર્ણ છે, રોહિત વર્ણ સોનેરી-રૂપેરી જેવું લાગે છે, તે એ પ્રકાશનું રૂપ છે. જે શ્વેત વર્ણ છે એ જળનો છે. જળનો કારક ચંદ્ર ગણવામાં આવે છે ને એટલા માટે. અને કૃષ્ણ વર્ણ છે તે અન્ન એટલે પૃથ્વીનું સ્વરૂપ છે. આ રીતે ચંદ્રમાં ચંદ્રત્વથી નિવૃત્ત થઈ ગયા. તેથી વિકારથી ફક્ત ચંદ્ર એમ એ નામ છે, પણ સત્ય તો એના કેવળ ત્રણ સ્વરૂપો જ છે એમ કહે છે.
પછી વિદ્યુતનો જે લાલ વર્ણ છે તે પણ એક તેજ પ્રકાશનું સ્વરૂપ છે. જે શુક્લ વર્ણ છે એ જળનું સ્વરૂપ છે. કાળો વર્ણ છે તે પૃથ્વીનું સ્વરૂપ છે. એટલા માટે વિદ્યુતથી વિદ્યુત તત્વ અલગ થઈ ગયું અને વિદ્યુત રૂપી વિકારવાળી જે પર આશ્રિત નામ માત્ર છે, ત્રણ રૂપ તો માત્ર સત્ય જ છે. એવી રીતે ત્રિવૃતના વર્ગનું જ્ઞાન રાખનાર અતીતકાલીન મહાગૃહસ્ત મહાશ્રોત્રીએ કહ્યું કે વર્તમાન કાળમાં અમારા વંશમાં કોઈપણ વાત અશરુત અને અવિજ્ઞાત એવું કોઈ પણ નહીં કે તેથી આ અગ્નિ વગેરે તત્વોના ઉદાહરણ દ્વારા એ લોકો બધું જ જાણતા હતા. એક તત્વનો જ આધાર લઈને એ લોકો બધું જ જાણી લઈ શકે એવું હતું. જે કોઈ એમને લાલ રંગનું જણાતું હતું એ તેજનું રૂપ છે. શુક્લ રૂપ જે હતું તે જળનું છે અને કાળો રંગ છે તે પૃથ્વીનું રૂપ છે. એમાં એમણે એવી રીતે બધા જ નામ રૂપોની જાણકારી મેળવી લીધી.
એ સિવાય વિશેષ રૂપે સ્વીકાર કંઈ પણ ન કરવામાં આવ્યું.
એટલે આ ત્રણ દેવોનો જે સમૂહ છે એની જાણકારી મેળવીને કીધું કે હે સૌમ્ય, તમે મારા દ્વારા આ બધું તમે બરાબર સમજી લો કે કેવી રીતે આ ત્રણ દેવતાઓ શરીર અને ઇન્દ્રિયોના સંઘાતરૂપ પુરુષ તત્વને મેળવીને પછી અલગ અલગ થઈ જાય છે. પુરુષ તત્વ મેળવે એટલે પછી અલગ, પહેલા સંગાત થાય સ્ત્રીત્વ અને પુરુષત્વ બંનેનો અને પછી અલગ થઈ જાય છે અને પછી પુરુષત્વ પાછું ઉત્પન્ન થાય છે, નેક્સ્ટ જેન જેને કહેવામાં આવે એવી રીતે.
તો જે અન્ન ભોજનના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે એ પણ ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે. અન્નનો જે સ્થૂળતમ પદાર્થ છે, સ્થૂળ ભાગ જે તે મળના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. જે મધ્યમ અંશ છે એ જે છે તે રસ વગેરેથી યુક્ત થઈ અને એમાંથી રક્ત, માંસ, મજ્જા, અસ્થિ આ બધું બને છે અને જે અતિ સૂક્ષ્મ ભાગ છે તે મનરૂપ પરિણતિ થઈ જતી હોય છે. એટલે ત્રણ વસ્તુઓ બને છે: એક મળ બને છે, એક જે છે તે તમારે સપ્ત ધાતુઓ બને છે મધ્યમ ભાગથી અને સૂક્ષ્મ ભાગ છે તેનાથી તમારું મનનું બંધારણ થાય છે, મન બને છે. એટલે કેવો આહાર ગ્રહણ કરીએ છીએ તે પ્રમાણેનું મન થાય એમ જે કહેવામાં. પછી પાછો આહાર તો કેવો એ તો છે જ, પણ પાછો કેવા ભાવથી તમે ગ્રહણ કર્યો, કેવા ભાવથી કોઈકે તમને ઉપલબ્ધ કરાયો? જો કેટલા બધા પરિબળો કામ કરે છે! આ બધું જ એક સામટું તમારા મન પર અસર કરે છે.
હવે ક્યાં જાય આ લોકોનું મનોવિજ્ઞાન?
જે જળ ગ્રહણ કરવામાં આવે છે તે પણ ત્રણ ભાગની અંદર થાય છે. સ્થૂળ ભાગ છે તે મૂત્ર બને છે. મધ્યમ ભાગ છે તે રક્તને અંદર સહાયકારક તરીકે પેલાના સારમાંથી આવે છે. એટલે અન્ન અને આ જળ બે ભેગા થઈને રક્ત બને છે અને સૂક્ષ્મ ભાગ છે તે પાછો પ્રાણ બને છે. જળમાંથી પ્રાણ બહાર નીકળે છે એ રીતે.
જે તેજ ગ્રહણ કરવામાં આવે છે તે પણ ત્રણ રૂપોમાં વિભાજિત થાય. અન્ન તમે ગ્રહણ કરો, સાધારણ ગરમ હોય, જે હોય છે અન્ન તેની અંદર પણ તેજ રહેલું છે. તેજ રહેલું એટલે સ્થૂળ ભાગ જે છે તે હાડકા બને છે. મધ્યમ ભાગ છે એ મજ્જાના રૂપમાં આવે છે અને જે અત્યંત સૂક્ષ્મ ભાગ છે તે વાણી સ્વરૂપે આવે. એટલે જેટલો તેજસ્વી વ્યક્તિ હોય તો એની વાણી પણ એટલી જ પ્રખર હોય, તેજસ્વી હોય એવું જોવા મળી શકે આપણને. પણ આ બધાનો આધાર શું છે? અન્ન છે અને એના ત્રણ ભાગ થતા હોય એ કેવી રીતે ગ્રહણ કરે છે, શું કરે છે એ બધી બાબતોએ આગળ આવશે. તો અન્નનું કાર્ય મન, જળનું કાર્ય પ્રાણ અને તેજનું કાર્ય શું છે? તો કે વાણી છે. એ તું સમજ.
ત્યારે શ્વેતકેતુએ કીધું કે "મને સ્પષ્ટ કરો. હજી મને બરાબર નથી સમજાતું. મને થોડુંક માર્ગદર્શન આ વધારે આપો." ત્યારે એના પિતા ઉદ્દાલકીએ એને કીધું કે "હે સૌમ્ય, દહીંને વલોવ્યા પછી એનો જે સૂક્ષ્મ ભાગ એકત્રિત થાય છે તે ઉપર આવે છે અને તે ઘીના રૂપમાં પરિણત થાય છે. એવી જ રીતે અન્નને પૂર્ણ રૂપે ગ્રહણ કર્યા બાદ એનો જે..."
સૂક્ષ્મતમ ભાગ છે એ ઉર્ધ્વ બાજુ ગમન કરતાં મનના રૂપમાં પરિણત થાય છે. પીધેલા જળનો જે સૂક્ષ્મતમ ભાગ છે, તે આવી રીતે ઉપર આવીને એકત્ર થાય છે. અને ઉપર આવેલો ભાગ જે છે, તે પ્રાણ તત્વની અંદર સંયોજિત થાય છે. અને એ જ રીતે મન અન્નના રૂપમાં, પ્રાણ જળના રૂપમાં અને વાણી જે છે તે તેજમાં, આવી રીતે પરિવર્તિત થાય છે.
ત્યારે પાછું કીધું કે, "મને ફરી સમજાવો." કે, "સારું, તને આગળ સમજાવું."
હવે કહે છે કે, આ મનુષ્ય જે છે તે સોળ કલાથી યુક્ત છે. મનુષ્ય કેવો હોય? સોળ કલાથી યુક્ત હોય. એટલા માટે તું પંદર દિવસ સુધી ભોજન ન કરતાં ઈચ્છાનુસાર માત્ર જળનું સેવન કર. કારણ કે પ્રાણ જળરૂપ છે, તેથી માત્ર જળના સેવનથી પ્રાણનો નાશ નહીં થાય. તારે પ્રાણની રક્ષા કરવાની છે, બરાબર? તું ફક્ત જળ લેજે.
એટલે શ્વેતકેતુએ પંદર દિવસ સુધી ભોજન ગ્રહણ ન કર્યું. પછી પિતાની પાસે આવીને બોલ્યો કે, "હવે શું કરવું?" ત્યારે કહે છે કે, "તું ઋક્, યજુ અને સામ મંત્રોનું ઉચ્ચારણ કર." ત્યારે કહે છે કે, "મારા મનમાં એ બધાની પ્રતીતિ થતી નથી."
ત્યારે ઉદ્દાલકે એને કીધું કે, "જેમ પર્યાપ્ત માત્રામાં ઇંધનના પ્રજ્વલિત થયા પછીથી આગનો આગીયો સમાન એક નાનો સરખો અંગારો પણ બાકી રહી જાય, તો તે વધારે ગરમી પ્રદાન કરી શકતો નથી. એવી રીતે તારી સોળ કલામાંથી માત્ર એક જ કળા બાકી રહી છે. એટલા માટે તું એક કળાથી વેદનું અધ્યયન-અનુશીલન કરી શકતો નથી. માટે તું ભોજન ગ્રહણ કર."
એને અન્નનું મહત્વ સમજાવવા માટે આટલું બધું કર્યું અને પછી એને કહે છે કે, "તું ભોજન ગ્રહણ કર, ત્યારે તારી સમજમાં આવશે." એટલે લોકો અનાહારી રહીને આમ કરીને તેમ કરીને વેદનું અધ્યયન કરે, કંઈક કરે, ને બધું કરે. ઉપવાસ, ઉપવાસ, બધું જાતજાતનું. તમે વિચાર કરો, એ લોકોને અંદર કેવી રીતના બધું આ બધી વસ્તુઓ સૂક્ષ્મ? એટલે અન્નનું પણ મહત્વ છે.
શ્વેતકેતુએ પોતાના પિતાના કહેવાથી પછી ભોજન ગ્રહણ કર્યું. ભોજન કર્યા બાદ પિતાની પાસે ઉપસ્થિત થયો, ત્યારે પિતાએ જે કંઈ એને પૂછ્યું, તે બધું જ એને આવડી ગયું. આ વાત હંમેશા દરેક વિદ્યાર્થીઓને તમે કહેતા રહેજો કે, "ભાઈ, પર્યાપ્ત માત્રામાં, હા, બહુ જ વધારે નહીં, પણ અન્ન તો તમારે લેવું જ જોઈએ. અને એ પણ નિયમિત, સારી રીતે, શાંતિથી બેસીને. જો શક્ય હોય તો વૈશ્વાનર કરીને લેજો પાંચ કોળિયા, તો તમારું કલ્યાણ થઈ જશે."
જુઓ, એક પછી એક વસ્તુઓ એકબીજા સાથે રિલેટેડ કેમ છે, એમ આપણને ધીરે ધીરે સમજાવ્યું. સૌથી પહેલા બાળક કેવી રીતે ઉત્પન્ન થાય છે તે આવ્યું. છેક સૂક્ષ્મમાંથી કેવી રીતે બાળક તમારે ત્યાં આગળ આવે છે, તે આખો પ્રોસેસ પંચાગ્નિ વિદ્યામાં સમજાવ્યો. એના પછી વૈશ્વાનર વિદ્યા સમજાવી. અને આ વૈશ્વાનર વિદ્યા પછી હવે આનું ત્રણ ભાગવાળું જે કંઈ છે – તેજનું, જળનું અને અન્નનું – એ બતાવવામાં આવે છે.
એટલે કહે છે કે, "જ્યારે વિશાળ અગ્નિ શાંત થઈ જાય અને આટલો અંગારો બાકી રહી જાય, તો પછી એની અંદર બહુ વધારે એમ કે પાવર રહેતો નથી હોતો. એ જ પ્રમાણે તું, જેવું કે તારી સોળ કલામાંથી એક જ કલા બાકી રહી ગઈ હતી. ત્યાર પછીથી ફરી વખતે તે જ્યારે અન્ન લીધું, ત્યારે એ પ્રજ્વલિત બની ગઈ. અને એવી રીતે તું વેદોને જાણવા માટે સમર્થ બની ગયો."
તો કહે છે કે, "મન છે તે પણ અન્નરૂપ છે. તારું મન કેવું છે? અન્નરૂપ છે. પ્રાણ છે તે જળરૂપ છે અને વાણી છે તે તેજરૂપ છે." આ રીતે શ્વેતકેતુએ પોતાના પિતા દ્વારા કહેવાયેલ ઉપદેશને પૂર્ણ રૂપેણ આત્મસાત કરી લીધો.
અરુણના પુત્ર આરુણિ, કે જે ઉદ્દાલકના નામથી જાણીતા હતા, એણે પોતાના પુત્રને કીધું કે, "હવે તું મારા દ્વારા બતાવવામાં આવેલ સ્વપ્નના સ્વરૂપને સારી રીતે સમજી લે."
જે અવસ્થામાં આ પુરુષ શયન કરે છે, એવું કહેવામાં આવે છે. એ સમયે એ 'સત્'થી યુક્ત બની જાય છે, અર્થાત્ પોતાના સ્વરૂપને મેળવી લે છે. એટલા માટે તેને 'સ્વપિત' કહેવામાં આવે છે, કારણ કે એ સમયે 'સ્વ' અર્થાત્ પોતાને પ્રાપ્ત કરી લે છે.
જેમ કોઈ શકુનિ (એટલે કે બાજ પક્ષી) દોરીથી બંધાયા પછી ચારે તરફ ઊડતું હોવા છતાં પણ આશ્રય ન મળતાં પોતાના બંધનમાંની સ્થિતિમાં હોવાના કારણે પોતાના સ્થાને પાછું આવી જાય છે, એવી રીતે આ મન પણ બધી જ દિશાઓમાં ભ્રમણ કરીને ક્યાંય પણ પોતાનું વિશ્રામ સ્થળ ન મળતાં પ્રાણનું અવલંબન ગ્રહણ કરે છે. એટલા માટે આ મન પ્રાણરૂપ બંધનવાળું છે.
આ મન છે, એ બધું ઊડે, ચારે બાજુ દોડાદોડ કરે, પણ એની દોરી કોની પાસે છે? પ્રાણ પાસે છે. એમ ટૂંકમાં કહેવા માંગે. ખ્યાલ આવ્યો? તમારું ગમે તેવું મન છે, પણ એનો કંટ્રોલ કોની પાસે? પ્રાણની પાસે છે. બસ, આટલી સીધી-સાદી વાત સમજો.
હવે તમે ભૂખ અને તરસના રહસ્યને સમજો. વચ્ચે પણ આવ્યું હતું ને ભૂખ અને તરસનું રહસ્ય? અત્યારે હવે આપણે આગળની વાત કરીએ.
કે જે સમયે પુરુષ ભોજન ગ્રહણ કરવાની ઈચ્છા કરે, એ સમયે ખવાયેલું ભોજન જે છે, તેને જળ જ લઈ જાય છે. એને ઉતારે છે કોણ? જળ જ એને ઉતારી શકે છે. જેમ ગાય લઈ જવાવાળાને 'ગોનાય', અશ્વ લઈ જનારને 'અશ્વનાય' અને પુરુષને લઈ જવાવાળાને 'પુરુષતાય' કહેવામાં આવે છે. આ બધા નામો આપ્યા છે તે વખતના. એવી રીતે ભોજનને અને જળને ભોજન લઈ જવાના કારણે, અસન લઈ જવાના કારણે 'અસનાય' એમ પણ કહેતા હતા.
"અસનાય" એટલે આ જળના દ્વારા તું આ શરીર રૂપી અંકુરને પ્રગટ થયેલો સમજ. જળ દ્વારા અન્ન સિવાય આ શરીરનું બીજું મૂળ શું? તો કે તું તેજને અન્નરૂપ કર્મનું મૂળ સમજ. એની સાથે તેજ પણ જોઈશે ને? શરીર ધારણ કરવા માટેનું તેજ રૂપી કાર્યનું મૂળ જે છે, તે શું છે? તો કે સત્વ તત્વને જાણ.
આ રીતે સમસ્ત પ્રાણી 'સત્' મૂળરૂપવાળા જ છે. અર્થાત્ 'સત્' જ એકમાત્ર આશ્રય અને પ્રતિષ્ઠા છે. 'સત્' હોવાના કારણે જ હોય છે. જો 'અસત્' હોય, એટલે ચાલવા માંડે. જેવું 'અસત્' થયું, એટલે ઉપડ્યો. 'સત્' છે ત્યાં.
સુધી એ રહેશે એવું નથી કહેતા. ભાઈ, ફલાણાનું તો સત બહુ ભારે છે. જ્યારે મનુષ્ય તરસ્યો થઈને જળ ગ્રહણ કરે છે, ત્યારે એને એ જળની અંદર તેજ જે રહેલું છે તે લઈ જાય છે. જળને કોણ લઈ જાય? તેજ લઈ જાય છે. હા, તે જ હંમેશા જળને લઈ જાય.
હવે બીજો દાખલો આપું. પુષ્કળ સમુદ્રની અંદર પાણી પડેલું છે, જળ છે વધુ. આમ સૂર્યનો પ્રકાશ આવ્યો, લાઈટ પડી અને પછી એ બધું જ ધીમે ધીમે ધીમે ધીમે ઉડવાનું શરૂ થાય છે. એટલે જળને કોણ લઈ જાય છે ઉપર? તેજ. એટલે આ તેજ જે છે, એ મોટરની જેમ કામ કરે છે, લિફ્ટિંગ. પાણીને ઉપાડે ઉપર. આમ સમજાય એવી રીતે તેજને જળને લઈ જવાવાળો કહેવામાં આવે છે.
એટલે આ શરીરને જળરૂપી મૂળથી પ્રગટ થયેલું સમજો; કારણ કે ક્રિયા વગર પ્રતિક્રિયા થઈ શકતી નથી. એટલે આને આખા શરીરની ચયાપચયની (મેટાબોલિઝમની) જે પ્રક્રિયા છે, તે શરીરના પ્રત્યેક કોષ સુધી અન્નને જળ અને જળને કાર્ય વિદ્યુત (બાયોઇલેક્ટ્રીસિટી) દ્વારા સંચારિત થવાનું જે સિસ્ટમ છે, એ આખી પેલાને સમજાવી દીધી કે, "તારા એક એક સેલની અંદર આ તેજ દ્વારા તારું અન્ન પહોંચી રહ્યું છે. એને તું સમજી અને એનાથી આ તારું શરીર જે છે, એ સત છે, પ્રગટ રૂપે રહેલું છે."
સિસ્ટમમાં ફોલ્ટ ફોલ્ટ આવ્યો, અસત થઈ ગયું. બોડી ઉપડી જશે કાં તો રોગ પેદા થશે, વિકાર ઉત્પન્ન થઈ જાય છે. તો જળ દ્વારા પ્રગટેલા શરીરનું મૂળ સ્થાન ક્યાં હોઈ શકે? તો કે જળનું મૂળ તેજમાં અને તેજનું મૂળ સતમાં હોય છે.
આ બધા પ્રાણી સતરૂપી મૂળવાળા, સતરૂપી ઉદગમ સ્થાનવાળા અને સતરૂપી અન્નવાળા છે. એટલે ત્રણેય – અન્ન, જળ અને તેજરૂપી દેવતાઓ – પુરુષના શરીરમાં પ્રવેશીને વિભિન્ન ભાગોની અંદર એ બધા વહેંચાઈ જતા હોય છે, જે તને પહેલા સ્પષ્ટ કરી દીધું. આ જ કારણથી મૃત્યુની નજીક પહોંચનાર પુરુષની વાણી જે છે, તે મનમાં લીન થઈ જાય છે; અને મન જે છે, તે પ્રાણ પ્રાણમાં લીન થઈ જાય છે; અને પ્રાણ જે છે, તે તેજમાં જાય છે; અને તેજ જે છે, તે પર દેવતામાં થઈને પછી નીકળી જાય.
આ અણીમાં એટલે કે સૂક્ષ્મ વિદ્યા છે. બધું એ જ છે, એ જ આત્મા છે અને તું પણ એ જ છે. એટલે શ્વેતકેતુએ કહ્યું કે, "પ્રભુ, મને ફરી સમજાવો." એટલે કહ્યું કે, "સારું, તને સમજાવીશ."
પછી એ આગળ બોલાવીને કહે છે કે, "જે રીતે મધમાંથી મધ પ્રાપ્ત કરવા માટે વિભિન્ન દિશાઓમાંથી વૃક્ષો, પુષ્પોમાંથી લાવી લાવીને રસ એકત્ર કરે છે, એ મધના રૂપમાં એકતાને પ્રાપ્ત થયેલા એ બધો જે રસ હોય, જે એવું જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા કે હું અમુક ઝાડમાંથી આવ્યો છું, હું અમુક ઝાડમાંથી આવ્યો છું, હું અમુક ફૂલમાંથી આવ્યો છું. એવી રીતે આ સમસ્ત પ્રજા સતને પ્રાપ્ત કર્યા પછી એવું નથી કહી શકતી કે અમે સત તત્વને પ્રાપ્ત કરી લીધું છે."
આવ્યા છે એ બધા સતમાંથી પણ કેટલી બધી જગ્યાએથી એ આવ્યા છે સતરૂપે. એટલા માટે એ કહી નથી શકતા કે અમે સત્માં છીએ કે સત તત્વમાંથી અમે આવેલા છીએ. એટલે આ સમસ્ત લોકમાં વાઘ, સિંહ, વરુ, ભૂંડ, કીડા, પતંગિયા, મચ્છર, દંશ વગેરે જે પહેલા પ્રાદુર્ભૂત થાય છે, એ જ વારંવાર ઉત્પન્ન થયા કરે. આ સૂક્ષ્મ પ્રક્રિયા છે. આ બધું એવા રૂપવાળું જ છે. એ જ સત્ય છે, એ જ આત્મા છે અને એ પણ તું જ છે.
એટલે જ્યારે એવું કહ્યું, ત્યારે કહ્યું કે, "મને હજી આગળ સમજાવો, સમજણ ના પડી." કહ્યું કે, "સારું. આ પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ પ્રવાહિત થનારી નદીઓ પોતાને અનુકૂળ માર્ગોથી પ્રવાહિત થાય, પોતાને અનુકૂળ માર્ગ શોધી કાઢે. પાણી હંમેશા અને પ્રવાહિત થાય છે. એનું આગમન જે છે, તે સમુદ્રમાંથી જ થાય છે. અંતમાં એ સમુદ્રમાં જ સમાઈ જાય છે."
એ રીતે નદીઓ સાગરમાં વિલીન થઈને એ નથી જાણતી હોતી કે, "હું ગંગા છું, હું જમુના છું, હું સરસ્વતી છું, હું નર્મદા છું." સમુદ્રની અંદર ગયા પછી બહાર જાય છે. એક સમયે એ નદી સ્વરૂપે ઓળખાતી હોય છે, પણ અલ્ટીમેટલી ત્યાં ગયા પછીથી એ કાંઈ રહેતી નથી.
એવી જ રીતે સંપૂર્ણ પ્રજા પણ સતત તતત્વમાંથી પ્રગટ થઈને એ નથી સમજી શકતી કે, "અમારા બધાનું આગમન સતત તતત્વ થયું, બ્રહ્મમાંથી થયું છે." એમ આ બધા સમજી નથી શકતા, એમ એમ કહે છે. વચલા સ્ટેજ ઉપર જ અટકી ગયા છે કે, "હું ગંગા." કે, "ના, તું સમુદ્ર છું." "ના, હું ગંગા." એમ. હા, એ સ્થળે એ આ કહેવાય છે. લૌકિક રીતે જો વાત કરીએ તો એવું કહેવાય. અલ્ટીમેટલી જોવા જઈએ એક લેવલ ઉપર જઈને તો એ છેવટે તો શું કહેવાશે? સમુદ્ર જ કહેવાશે. અને જળ જ છે, એટલે જળ તત્વ જ છે. અને એ પણ પાછું સ્થૂળ. અને પ્રોસેસ કેવો પાછો? કે એના જે મૂળ સોર્સ છે સમુદ્ર, તેમાંથી એ ઊભું થાય, તેજ દ્વારા ઉત્પન્ન થાય, મેઘ બને, બધું થાય ને! વળી પાછું એ નીચે આવીને પડે પાણી, અને પછી પાડો ઉપર પડીને પાછું ફરી નદીઓ રૂપે નીચે જઈ અને પાછું સમુદ્રની અંદર મળી જાય.
આ જેમ સાયકલ ચાલ્યા જ કરે છે, તેવી રીતે વ્યક્તિ પણ પોતે મૂળ સતમાંથી આવ્યો છે. વચલા સ્ટેજની અંદર એ ભૂલી જાય છે કે, "હું સત્ છું." એને ખબર નથી પડતી હોય કે, "હું સત છું, હું સમુદ્ર જેવો વિશાળ છું, હું અનંત છું." એમ એ કહી નથી શકતો.
આગળ કહે છે કે, "આ અણીમાં વિદ્યા જે છે, અનુરૂપ યુક્ત આત્માવાળા જગત છે અને તું પણ એ જ છે." વારે વારે એને કહે છે કે, "તું પણ એ જ છે, તું સતત છે." એમ, "તું ધ્યાન રાખ, તું જાણમાં રાખ."
ફરી આગળ એમને બીજા એક વૃક્ષના દ્રષ્ટાંત રૂપે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે, "એક મોટું વિશાળ વટવૃક્ષ હોય. કોઈ એના મૂળમાં પ્રહાર કરવામાં આવે તો એ શુષ્ક ન બનતા જીવન ધારણ કરતાં માત્ર રસ જ સ્ત્રવિત કરશે. મૂળમાં આમ જો ઘા કરવામાં આવે છે, તો એટલું જ થશે કે એમાંથી રસ નીકળશે. એવી જ રીતે એના મધ્યભાગ પર પ્રહાર કરવામાં આવે તો પણ એ જીવિત રહેતા રસ ટપકાવતું રહેશે. અને જો એ ઉપરના ભાગ પર પ્રહાર કરવામાં આવે, ત્યારે પણ એ જીવિત રહેતા રસ સ્ત્રાવ કરતું રહે છે. એવી રીતે આ વૃક્ષરૂપી..."
જીવાત્મા, આ વૃક્ષરૂપી જીવાત્મા પરિપૂર્ણ જળનું પાન કરતાં કરતાં, આનંદની અનુભૂતિ કરતાં કરતાં સ્થિર રહે છે. કોઈક વૃક્ષની એક શાખાને જીવ પરિત્યાગ કરી દે તો એ સુકાઈ જાય છે. અગર બીજી શાખા ચેતના શૂન્ય બની જાય તો એ પણ સુકાઈ જાય છે. અને ત્રીજી શાખાને પ્રહાર કરવાથી જીવ એને છોડી દે તો એ પણ સુકાઈ જાય છે. અગર આવી જ રીતે સંપૂર્ણ વૃક્ષનો જીવ પ્રસ્થાન કરી દે તો એ વૃક્ષ પૂર્ણ રૂપે સુકાઈ જાય છે. આવી જ રીતે આ વૃક્ષરૂપી શરીર જીવન તત્વથી રહિત થતા નષ્ટ થઈ જાય છે, પરંતુ જીવનો નાશ થતો નથી. એવા સૂક્ષ્મ ભાવથી પરિપૂર્ણ, આત્મતત્વથી પરિપૂર્ણ એવું આ જગત છે. આ સત્ય છે અને એ રીતે તું પણ એ સત્ય તત્વથી જ પરિપૂર્ણ છે."
"ભગવાન, સમજ ના પડી મને. તમે શું કીધું?"
"એટલે કે સારું, હવે આગળ સમજાયું કે જા, એક વડના વૃક્ષ છે તેમાંથી એક ફળ તોડી લાવ."
એ લઈ આવ્યો હોય એટલે એને કહે છે, "હવે એને તોડી નાખ."
"તોડી નાખ્યું."
"તો કે એની અંદર શું દેખાય છે?"
"તો કે એની અંદર આ અણુ સમાન દાણા દેખાય છે."
ટેટો હોય ને એની અંદર આરુણીએ કીધું કે, "એ દાણામાંથી એકને લઈને તોડી નાખ."
એક દાણો લઈને પેલા ટેટાનો એને ફરી તોડ્યો. પછી કહે છે, "એની અંદર શું જુવે છે?"
"તો કે મને કાંઈ દેખાતું નથી."
ત્યારે એને કહે છે કે, "આ વડના બીજની અંદર જે અતિસૂક્ષ્મ અણુરૂપે તું જોઈ શકતો નથી, એમાં આટલું મોટું વૃક્ષ રહેલું જ છે ઓલરેડી. આ મારા દ્વારા બતાવેલા કથાનું ઉપર શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ કર કે આની અંદર આખે આખું ઝાડ રહેલું છે એમ તું જાણી લે. એની અંદર આવી રીતે આ વડનું વૃક્ષ જે અનુરૂપ છે તેને અનુરૂપ આ બધું સૂક્ષ્મ જગત છે. પાછું એ જ સત્ય છે અને એ તત્વ તું પોતે જ છે."
એવું કહેવાથી કીધું કે, "પ્રભુ, મને ફરી સમજાવો."
"તો કે સારું, હવે તને કાલે સમજાઈશ."
પછી કહે છે, "આ પિંડરૂપી મીઠાના ટુકડાને જળ પાત્રમાં નાખજે. એક મીઠાનો ટુકડો લઈ અને પાણીમાં નાખજે અને આવતી કાલે તું પાછો ઉપસ્થિત થજે મારી પાસે."
"કે સારું."
બીજા દિવસે આવ્યો ત્યારે કહે છે કે, "હવે આવી જા, પુત્ર. અને ગઈ કાલે રાત્રે તે જે મીઠાના ગાંગડાને આની અંદર મૂક્યું હતું તેને લઈ આવ."
એટલે શ્વેતકેતુએ શોધ્યું પણ એ કહે છે, "મીઠું તો અંદર છે નહીં."
ત્યારે કીધું કે, "તું આ જળમાં મળી ગયેલા મીઠાના અંશને જોઈ શકતો નથી. છતાં પણ જો જિજ્ઞાસા હોય તો આ જળને ઉપરથી આચમન કર."
એટલે આચમન કરતાં પૂછ્યું ત્યારે કહે છે કે, "આ તો ખારું છે."
ત્યારે કહે છે, "સારું, મધ્યમાંથી લે પાણી."
કહે છે, ઉપરથી લીધું ને પહેલા. પછી કહે છે, "હવે મધ્યમાંથી પાણી લે."
"તો કે એ ખારું છે."
પછી કહે છે કે, "સાવ નીચેથી લે."
"તો કે એ ખારું છે."
"કે સારું, હવે તું આ ફેંકીને મારી પાસે આવ."
એટલે એ પ્રમાણે એને પાછો બોલાવ્યો અને પછી કહે છે કે, "બેસ. જે રીતે આ મીઠું પૂર્ણ રૂપે જળની અંદર મળી ગયેલું હતું, બરાબર આ જ રીતે તું પણ આ સત્ તત્વ જે છે તેનો જ બનેલો છે. પણ તું એને જાણવા માટે અસમર્થ છે, છતાં પણ એ વિદ્યમાન છે. જેમ આ પાણીની અંદર મીઠું હતું, મીઠાસ જે હતી, ખારાશ હતી જે તે, એવી રીતે તારી અંદર આ સતત તત્વ અંદર છે. તારી અંદર સંપૂર્ણપણે છે. એટલે તું ક્યાંય પણ રહીશ તો એ છે જ એમ. તારા દેહની અંદર કોઈપણ જગ્યાએ તું એ બાબત ઉપર વિચાર કર."
ત્યારે કહે છે કે, "તું સ્વયં પણ એ જ સત્ય સ્વરૂપ છે."
"ભગવાન, હજી આગળ સમજાવો."
"તો કે સારું."
પછી પાછો એક બીજો દાખલો આપે છે કે, "જેમ કોઈ પુરુષ આંખો પર પાટા બાંધી અને એક દેશમાંથી બીજા કોઈ ક્ષેત્રની અંદર લઈ જઈને ત્યાં એને છૂટો મૂકી દેવામાં આવે. ત્યાં ચારેય દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ તરફ મોહ કરી અને કરુણ રુદન કરે કે કોઈકે મને લાવીને અહીંયા છોડી દીધો, હું છોડી દીધો, છોડી દીધો. અગર કોઈ બીજો પુરુષ આવીને એના આંખોના પાટા છોડી કાઢે અને પછી કહે ત્યારે કહે છે કે ગાંધાર દેશ આ જગ્યાએ છે કે એ બાજુ જાજે તું. ત્યારે એ બુદ્ધિમાન અને ઉપવિષ્ટ એટલે એને જે કહેવાયું છે કે ગાંધાર દેશ આ બાજુ છે એટલે શું કરશે એ વ્યક્તિ? આગળ આગળ ચાલતો જશે. પછી એક ગામ આવશે ત્યાં પૂછશે, 'ગાંધાર?' એટલે કે, 'આગળ જાવ, આ દિશામાં આગળ જાવ.' એમ એમ કરતાં કરતાં એ પોતાના સ્થાનને જેમ પ્રાપ્ત કરી લે છે, એ જ પ્રમાણે સદાચાર વ્યક્તિ જ, સદાચારવાન વ્યક્તિ સતને સમજી શકે છે.
સદાચારવાળો હશે તે જ આવી રીતે ક્રમશઃ પોતે સતને પ્રાપ્ત કરી લે છે. એ વ્યક્તિને મોક્ષ પ્રાપ્તિમાં એટલી જ વાર લાગે છે કે જ્યાં સુધી શરીરના બંધનથી મુક્તિ મળતી નથી. જીવો એ શરીરના બંધનથી મુક્ત થાય કે તરત જ એ સતયુક્ત બ્રહ્મને અનુરૂપ બની જતો હોય છે. એટલે આ જગત જે છે તે અનુરૂપ સૂક્ષ્મ સત તત્વથી યુક્ત છે. આ જે આખું જગત છે તે એ સત સ્વરૂપ, એ જ આત્મસ્વરૂપ છે. એટલે તારું સત સ્વરૂપ ક્યાં નથી? તું એમ શોધી કાઢ. તું પૂછતા, શોધતા શોધતા તું પહેલા જોઈશ પૃથ્વી તત્વમાં બ્રહ્મ છે, પછી જોઈશ આગળ જળ તત્વમાં છે, પછી અગ્નિ તત્વમાં છે, પછી વાયુ તત્વમાં છે, પછી આકાશ તત્વ. એક પછી એક બધા તત્વોને તું જાણતો જઈશ. ધીમે ધીમે ધીમે કરતાં છેવટે તું ત્યાં આગળ પહોંચી જઈશ કે તારા મૂળ ગંતવ્ય સ્થાન. જેવી રીતે અંધ વ્યક્તિને છોડી દીધો તો પણ પછી એને કહેવામાં આવ્યું હતું કે ગાંધાર આ બાજુ છે અને એ ચાલવા માંડ્યો.
પછી પૂછતો પૂછતો જેમ પહોંચી ગયો. એ પહોંચવામાં એણે કોઈ ડિવિએશન લીધું નહોતું. જેમ બતાવતા ગયા તે બાજુ જે ચાલતો ગયો. એટલા માટે વચ્ચે જો દોઢ ડાપણ કરીને ચાલ્યો હોત તો વળી પાછો એ દિશા ભટકી જાય. એવી રીતે લોકો ભટકી જતા હોય છે. આ ઉપદેશ એને આપે છે એના દીકરાને અને દરેક વખતે, દરેક પ્રક્રિયાની અંદર એ સમજાવાનો પ્રયત્ન કરે છે કે આ સત છે એ લોકલાઈઝ નથી, કોઈ એક જગ્યાએ નથી, તારા એક સેલમાં નથી, એ તારા સમગ્ર દેહમાં છે. દેહમાં જ છે એટલું."
જ નથી ત્યાંથી આગળ ને આગળ એ વ્યાપેલું છે અને એ બધે જ છે એ આનું લક્ષ્ય છે. એને આપણે ગ્રહણ કરવાનું છે. એમ આગળ કહે છે કે તાવથી વધારે સંતાપ પામેલો, મરણાસન્ન સ્થિતિમાં પહોંચેલા પુરુષની ચારે બાજુ બંધુ, સગાવાલા, બધા બેઠા હોય, કુટુંબીઓ બેઠા હોય, ત્યારે દરેક જણે એને શું કે? ત્યાં આવીને "મને ઓળખે છે? મને ઓળખે?" એમ પૂછે. એટલે એ વ્યક્તિ કહે કે "હા, ઓળખું છું." ત્યાં સુધી એ બધાને ખબર હોય છે કે આ હજી તો જીવવાનો છે. પછી એક સમય આવશે, "હવે બોલાતું કરતું નથી ભઈથી." એટલે શું થયું કે મૃત્યુની બહુ નજીક છે. કેમ? તો કે એની વાણી જે છે તે પ્રાણની અંદર પ્રવેશ પામી ગઈ છે. એટલે હવે ભઈથી બોલાતું નથી, સમજાયું?
એટલે જ્યાં સુધી એની વાણી મનમાં લીન નથી થતી અને મન પ્રાણમાં, અને પ્રાણ તેજમાં, અને તેજ પરમ તત્વમાં વિલીન નથી થતું, ત્યાં સુધી એ બધાને ઓળખ્યા કરતો હોય છે. આ આખો મૃત્યુનો પ્રોસેસ બતાવી દીધો. જવાનો, પરમ તત્વ સુધીને કેવી રીતે વ્યક્તિ પહોંચે છે તે. પણ જે સદાચારી છે તે પરમ તત્વ સુધી પહોંચી જાય છે, પણ જે સદાચારી નથી, સત અને જાણતો જ નથી, તે અધ્વજ્ય સુધી પહોંચી અસતમાં જ પાછો ગોળ ફરીને પાછો આવે છે. એ પ્રોસેસ આખો એનો આવી રીતે ચાલ્યા કરતો હોય. એટલે આ જે વિદ્યા છે, જે વ્યક્તિની વાણી મનમાં લીન થઈ જાય, મન પ્રાણમાં લીન થઈ જાય, પ્રાણ તેજમાં લીન થઈ જાય, અને તે જ જે છે એ પરમ તત્વમાં વિલીન થઈ જાય, એ વ્યક્તિ કોઈને પણ ઓળખવા માટે સમર્થ રહેતો નથી. એ એમાંથી નીકળી ગયો. એટલે કોઈ માણસ પછી એમ પૂછે કે, "ભાઈ, તમારા બાપા ક્યાં ગયા?" તો કે, "ગયા." હવે એ બાપાને બોલાવો કે છે.
હવે કોઈક રીતે કરીને એના બોલાવવામાં આવે તો એ બાપા આમાંથી કોઈને પણ એક્સેપ્ટ નહીં કરે કે "હા, તું મારો દીકરો હતો." એ પણ એટલી જ સાચી વાત.
એટલા માટે કહે છે કે ભાઈ, તમારા આ સંબંધો જે છે એ બધા કેવા છે? તો કે લૌકિક છે, આ લોક પૂરતા જ છે, ટેમ્પરરી છે. તો આ રૂમમાં આપણે ત્રણ જણા બેઠા છે ત્યાં સુધી આ સંબંધ છે આપણો. જેવા એમાંથી બહાર નીકળ્યા એટલે આ સંબંધ પૂરો થઈ ગયો. એ થાય જ છે. તમે બંને પાછા ગાડીમાં બેસીને જશો ત્યાં સુધી મિત્રતાનો સંબંધ. પણ જો ગાડીમાંથી બહાર નીકળીને પોતપોતાના ઘરમાં છૂટા પડ્યા એટલે એ સંબંધ પૂરો. ત્યાં પછી ઘરમાં પ્રવેશ કર્યો એટલે તમારો સંબંધ પાછા એ જે રીતે કુટુંબીજનો સાથેનો હોય એ શરૂ થાય અને પછી આ પૂરો થઈ જાય. આ સંબંધ પૂરો થઈ ગયો, પેલો સંબંધ પૂરો થઈ ગયો. ઘેર જઈને તમે રડવા બેસો છો, "અમે તો સાહેબને ઘેર ગયા હતા ને બહુ મજા કરીને આમ કરીને તેમ કર્યું ને બધું કરીને." નથી. હવે આ બધું ક્યાં ગયું? "મારે તો અહીં આવવાનું થયું આમ." એવું કંઈ થાય છે?
નથી. તો તમે અત્યારે એ બધા ભૂતકાળના જન્મો માટે શું કરવા કકળાટ કરો? કોઈ નથી કરતું. તો એવી જ રીતે આ બધી વસ્તુઓનો તમે સમજી જશો એક વખતે એટલે તમને શું થશે કે કોઈ મોહ કે આસક્તિ રહેશે નહીં. તમને ખ્યાલ આવશે કે આ બધું ટેમ્પરરી છે, એક સમય પૂરતું છે. પણ એ એક સમય પૂરતું જે કંઈ છે તેને કેવી રીતે કરવું જોઈએ? નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. એમાં પછી ખોચ રહી નહીં ચાલે. અને એ સત કેવી રીતે પાછું સમજવાનું? સામવાળો છે તેમાં પણ એ જ સત છે એમ જાણીને, આત્મા છે એમ જાણીને, એને સાથે વ્યવહાર વર્તન સારી રીતે કરીને એનાથી મુક્ત થવાનું છે. આ જીવનનો રસ્તો છે એમ કહે છે. જ્યાં સુધી હોય ત્યાં સુધી અવિરતપણે આ પ્રમાણે જીવે.
જોવા પછી શું થશે? તો કે વાણી છે એ મનમાં લઈ પાવશે. મન જે છે પ્રાણમાં અને પ્રાણ જે છે તેજમાં જશે અને તે જ છે એ પછી પ્રભુ પરમ તેજે તું લઈ જા ઊંડા અંધારેથી કહે છે ને? પછી પાછળ આગળ કહે છે કે અપરાધી વ્યક્તિ દ્વારા તપેલા કુહાડાને ગ્રહણ કરવાનો ઉદાહરણ વાર્તા કહે છે કે જ્યારે કોઈ દોષી વ્યક્તિને હાથ બાંધીને કોઈ રાજ્યનો કર્મચારી લાવતા લાવતા કહે છે કે "આને ચોરી કરી છે, એના માટે કુહાડી તપાવો." હવે એ સાચે જ એ ચોરી કરનારો હોય અથવા જૂઠું બોલીને પોતાના કૃત્યને ઢાંકી રાખે છે તો તપેલા કુહાડાને પકડતા જ એ બળતો બળતો મૃત્યુને પ્રાપ્ત થાય છે. અગર એ વ્યક્તિ ચોરી કરનારો ન હોય તો એ કુહાડાથી પોતાને સાચો સાબિત કરે છે. એ વ્યક્તિ પોતાની જાતને સત્યથી ઢાંકીને એ કુહાડાને પકડી લે છે અને જ્યારે કુહાડાથી બળતો નથી તો પછી એને છોડી દેવામાં આવે.
એ જમાનામાં આવા પ્રકારની સજા કરવામાં આવતી. તલવાર કે કંઈ પણ લોઢું કશું તપાવવામાં આવે. "ચોરી કરી છે ને? પકડ હાથની અંદર." અને વાસ્તવની અંદર જો એ જીવતો રહી જાય તો કે બરાબર છે કે આ નિર્દોષ છે. પણ જો એ પકડે પછી એ મરી જાય તો સમજી લેવાનું કે એ ચોર હતો એમ. એટલે જો ચોરીની સજા અલ્ટીમેટલી શું હતી એ વખતે? મોત હતી. અને એટલા માટે લોકો ચોરી કરવાથી ડરતા હતા કે ભાઈ, આપણે ચોરી ન કરવી જોઈએ. કોઈપણ વસ્તુને જ્યાં સુધી આ પરિસ્થિતિ નહીં આવે ત્યાં સુધી આ દેશની અંદર અત્યારે ચોરીઓ ચાલ્યા જ કરે છે. બધી નાની નાની, ઝીણી ઝીણી, કેટલી? શું પકડાય? એટલે તરત જ આ સજા થતી હતી એ વખતે. એ વ્યક્તિ પોતાના ભાવથી પોતાને ઢાંકી દેવા. માનવતાની જે ક્ષમતા હતી ને તે લુપ્ત થઈ ગઈ છે. છતાં પણ એના પ્રમાણ મળે છે. આજની તારીખમાં કોઈ પીડિત વ્યક્તિને મદદ કરતી વખતે વાસ્તવિક પ્રેમ સંપન્ન વ્યક્તિને કષ્ટ થતું નથી, પરંતુ પ્રેમનો ઢોંગ કરનારને કષ્ટનો અનુભવ થાય છે.
એટલે પરીક્ષાના સમયે જેમ એ વ્યક્તિ કુહાડાથી બળતો નથી તેમ સતતત્વને મેળવનારો વિદ્વાન પુનર્જન્મથી મુક્ત થઈ જાય. એનામાં પછી આ વિશ્વનું કશું રહેતું નથી, સંસાર ભાવ નથી રહેતો. એટલે એ છૂટી જાય છે. પછી એ કુહાડાથી જેમ આ નહોતો બળ્યો સતવાળો માણસ, એ જ પ્રમાણે એ માણસ પણ મુક્ત થઈ જાય છે. કારણ કે આ સમસ્ત વિશ્વ કેવું?
છે સત સ્વરૂપ; છે એ જ આત્મા; છે એ જ સત તત્વથી સંપન્ન અને પરિપૂર્ણ તું સ્વયં છું. ત્યારે શ્વેત કેતું એ પ્રભુ, "હું એ સત તત્વને હવે હું જાણી ગયું છે."
એક સમયે નારદજી બ્રહ્મનિષ્ઠ સનતકુમારજીની સમક્ષ ઉપસ્થિત થયા, નારદજી. અને પછી એમણે કીધું કે, "ભગવાન, મને ઉપદેશ પ્રદાન કરવાની કૃપા કરો." ત્યારે સનત કુમારે કહ્યું કે, "સૌપ્રથમ તમે જે કઈ જાણો છો તે મને ચાલો, 'ટેક અ બ્રેક ફોર 5 મિનિટ્સ' - ઓકે, ટેક અ બ્રેક ફોર 5 મિનિટ્સ."
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.