અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૮૨

વિડિયો ૮૨

લેખ ૮૦ / ૧૪૯ · 3 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

તો આ પાંચ તત્વો પાસેથી તમને આત્માનું જ્ઞાન મળવાનું નથી. ટૂંકમાં સમજી જાવ, કારણ કે એ બધા ખોખા છે. સેલ કોર્પોરેશનો છે આ બધી. શું છે બધી? સમજાયું? સેલ કોર્પોરેશનોથી મેન કોર્પોરેશનમાં કશું થાય નહીં, સમજ્યા? એની કેપિટલને હચમચાવી ના શકે, જે મેન કોર્પોરેશનની હોય. "ઇઝ ધેટ રાઈટ?"

તો એ વાયુ જેમમાં રહેલો છે, વ્યાપ્ત છે. વાયુ એનાથી અજ્ઞાત છે. એટલે વાયુદેવ પાસેથી પણ તમને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એવું નથી. પણ એ વાયુમાં રહીને વાયુનું નિયંત્રણ કરે છે, એ તમારો આત્મા જ અંતર્યામી, અવિનાશી છે.

પછી આગળ કહે છે કે જે દ્વિલોકમાં છે, જે આદિત્ય લોકમાં છે, જે દિશાઓમાં રહેનારો છે, જે ચંદ્ર અને તારાઓમાં રહેલો છે, જે આકાશસ્થ છે.

પછી આગળ, કે જે તમસ આકાશ પછી છેવટે તમસમાં રહેલો છે. તમરૂપ શરીરવાળો પણ તમ એને જાણતું નથી. એ તમને જાણે છે. અંધારું હોય તો તમને ખબર પડે છે કે અંધારું છે કે? એ કોને ખબર પડી? આત્મા છે એટલે એને ખબર પડે છે કે આ અંધારું છે અને આ અજવાળું છે, ન તો ખબર ના પડે. બોલો, કેવી વાત છે!

તેજમાં રહેનાર છે, તેજરૂપ શરીરવાળો પણ તેજ પણ એને જાણતું નથી. આ સ્ફૂર તેજ છે, એટલે એ એને ખબર નથી પડતી કે આ આત્મા છે.

જે સમસ્ત ભૂતોમાં વાસ કરે છે, સમસ્ત ભૂત જેના શરીર છે, સમસ્ત ભૂત એને જાણતા નથી. પણ એ ત્યાં રહીને બધાનું નિયમન કરે છે. એ જ તમારો આત્મા છે.

પછી આગળ કીધું, પ્રાણની અંદર રહેલો છે. પ્રાણ પણ જેનું શરીર છે, પ્રાણ એને જાણતો નથી. અને પ્રાણમાં રહીને એનું નિયંત્રણ એ કરે છે. એ તમારો આત્મા જ અંતર્યામી, અમૃત છે.

પછી વાણીની વાત કરી, નેત્રની વાત કરી, શ્રોત્રેન્દ્રિયની વાત કરી. છેવટે મનની અંદર નિવાસ કરનારો, મન જેનું શરીર છે, મનમાં રહીને જે મનનો નિયામક પણ મનનું કારણ એ જાણતો નથી. એ આત્મા અવિનાશી છે.

એ ત્વચામાં બેઠો છે, એ વિજ્ઞાનમાં રહેલો છે. અને છેલ્લે કહી દીધું કે જે વીર્યમાં નિવાસ કરે છે, વીર્ય જેનું શરીર છે, જે વીર્યમાં રહીને વીર્યનું નિયંત્રણ કરે છે, વીર્ય તેનાથી અપરિચિત છે. એ તમારો આત્મા અનશ્વર છે, અવિનાશી છે.

દેખાતો નથી, સંભળાતો તો નથી, પરંતુ સાંભળે છે. એ મનન કરવાનો વિષય નથી, પરંતુ મનન કરે છે. એ સ્વયં અવિજ્ઞાત છે અને બધાને એ જ જાણે છે. એના સિવાય બીજો કોઈ દ્રષ્ટા નથી, શ્રોતા નથી, મનન કરનારો, જાણનારો કોઈ નથી.

અત્યારે તમે બેઠા છો અને જે શ્રવણ કરે છે, આ જે કંઈ કહેવાઈ રહ્યું છે તે જે જાણનારો છે, તે જ આત્મા છે અને બીજો કોઈ નથી. સમજાય છે?

અહીંયા આત્માનો અનુભવ અત્યારે કરો. જો આ શ્રવણ કરતી વખતે જુઓ કે આ શ્રવણ કોણ કરી રહ્યું છે, તમને તરત આત્મા ચડી જશે કે આ આત્મા છે એમ.

આ તમારો આત્મા જ અંતર્યામી છે, અવિનાશી છે. એનાથી બીજું, એનાથી અલગ જે કાંઈ છે તે બધું તમામ નશ્વર છે. બધું ખતમ થઈ જવાનું છે, વારેવારે બદલાય છે, પરિવર્તનશીલ છે.

આ બધું સાંભળ્યું એટલે આરુણી ઉદ્દાલક પણ મૌન થઈ ગયા. પાછા ફરી. "ઓકે, આથિક યાવી કેન ટેક બ્રેક. સો વી સ્ટોપ હિયર." પંદર મિનિટ. "કેટલો ટાઈમ છે?" ચાર વિશે મળીએ પાછા. "થેન્ક્યુ. હેવ અ ગુડ ટાઈમ."

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.